સુરતના સચિન-તલંગપુર મહાદેવ મંદિર સામેના તળાવમાં નાહવા પડેલા બે પૈકી એક મિત્ર ડૂબી જતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. મૃતક મુકેશ શેટ્ટી ઓડિશાનો રહેવાસી અને સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. ભરબપોરે બનેલી ઘટનાની જાણ ફાયરને મોડી થતા ભેસ્તાન ફાયર વિભાગના જવાનોએ તળાવના પાણીમાં ગરકાવ થઈ ગયેલા યુવકને લગભગ અઢી કલાકની જહેમત બાદ મૃત હાલતમાં શોધી કાઢ્યો હતો.
બીજો મિત્ર ડરી ગયો હતો
હિતેશ પાટીલ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ 1:45 મિનિટે કરવામાં આવી હતી. બે મિત્રો તળાવના પાણીમાં નાહવા પડ્યા બાદ એક ડૂબી ગયો હોવાની માહિતી હતી. એટલું જ નહીં પણ જે મિત્ર બચી ગયો હતો. એ ડરના મારે ભાગી ગયો હતો. જેને પોલીસની મદદથી બોલાવી લોકેશન નક્કી કરાયું હતું.
મૃતક બહેન પાસે આવ્યો હતો
ફાયરના જવાનોએ સતત તળાવના પાણીમાં ડૂબકી મારી શોધખોળ કરતા અઢી કલાકે મૃતકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકનું નામ મુકેશ શેટ્ટી (ઉ.વ.24) અને સચિન જીન કપાઉન્ડમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. મુકેશ ઓડિશાથી રોજગારીની શોધમાં બહેન પાસે આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.