સુરત મનપાના કતારગામ ઝોનના આરોગ્ય વિભાગ અને શહેર વિકાસ વિભાગના સંયુક્ત અભિયાન હેઠળ જાહેર રોડ પર ન્યુસન્સ રૂપ માછલીના વેચાણ કરતા ધંધાર્થીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. એસઆરપીના બંદોબસ્ત હેઠળ માછલીના વેચાણ કરતા લોકોની દુકાનો સીલ કરીને માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો..
પૂરાવા રજૂ ન કરી શક્યા
મનપાના કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. શ્રોફ દ્વારા જણાવાયું હતું કે, જાહેર રોડ પર માછલી વેચાણની પ્રવૃત્તિ કરતા લોકો સામે વારંવાર ફરિયાદો ઉઠી રહી હતી. આ જગ્યા સુરત મનપા અઠવા જીઆઇડીસીની હોવાની શક્યતાઓ છે. માછલીનું વેચાણ કરતા લોકો દ્વારા દુકાનના કોઈ પૂરાવા રજૂ કર્યા ન હોય ગેરકાયદે રીતે વેચાણ કરવામાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરીને દુકાનો સીલ કરાઈ હતી.
માલ સામાન જપ્ત કરાયો
પાલિકા દ્વારા દબાણો હટાવવાની સાથે સાથે માલ સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.આ કામગીરીમાં સુરત મનપાના કતારગામ ઝોનના શહેર વિકાસ ખાતાના કર્મચારી સાથે આરોગ્યના કર્મચારીઓ જોડાયા છે. સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને એસઆરપીની ટુકડીના બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.