હવે જીઆઈડીસીમાં પણ ઈમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં આવશે, જેના કારણે સચિન, ખટોદરા, ઈચ્છાપોર, ભાટપોર, પાંડેસરા અને કતારગામ સહિત 6 જીઆઈડીસીઓને લાભ થશે. ગેરકાયદે મકાનોને કાયદેસર કરી આપવા રાજ્ય સરકારે ઈમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મુક્યો છે. પરંતુ તે માત્ર રહેણાંક વિસ્તારમાં જ હતો.
જીઆઈડીસીમાં અમલ કરાતો ન હતો. જેથી સચીન ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેબીનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્યના ગૃહમંત્રી મંત્રી હર્ષ સંઘવીને આ અંગે રજૂઆત કરી હતી. જેથી ઈમ્પેક્ટ ફીના કાયદાનો જીઆઈડીસીમાં અમલ શરૂ કરાયો છે.
જેને કારણે સુરતના અંદાજે 6 હજારથી વધારે ઓદ્યોગિક એકમોને ફાયદો થશે. સચિન જીઆઈડીસીના ચેરમેન મહેન્દ્ર રામોલિયાએ કહ્યુ હતું કે,‘સચિન જીઆઈડીસી એસોસિએશન દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને સરકારે શહેરની સાથે જીઆઈડીસીમાં પણ ઈમ્પેક્ટ ફિના કાયદાનો અમલ શરૂ કરાવ્યો છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.