તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારીના એક દિવ્યાંગ વ્યક્તિ પર ત્યાંના માથાભારે ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેને લઈને તેઓએ ફરિયાદ નોંધાવવા અનેક રજૂઆતો કરી હતી. પરંતુ ક્યાંયથી પણ ન્યાય ન મળતા આખરે સુરત ખાતે તેઓ રેંજ આઈજી ઓફીસ બહાર ધરણા પર બેઠાં છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે.
ત્રણ મહિનાથી હુમલા થાય છે
નવસારી ખાતે આવેલા મુન્દ્રારા ગામના રહેવાસી ઈમ્તિયાઝ અહમદ શેખ દિવ્યાંગ છે. તેઓ સુરતમાં રેંજ આઈજીની ઓફીસ બહાર ધરણા પર બેસી ગયા છે. તેઓએ જણાવ્યું હતું કે, જમીનને લઈને તેઓના ગામમાં માથાભારે ઈસમો તેઓને છેલ્લા કેટલાય વર્ષોથી હેરાન કરે છે. છેલ્લા ૩ મહિનાથી તેઓના પર જીવલેણ હુમલા કરી રહ્યા છે.
ફરિયાદ ન સંભળાતા ધરણા
આ અંગે તેઓએ નવસારીમાં તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓને તમામ સબૂતો સાથે રજૂઆતો કરી છે. પરંતુ તેઓની ફરિયાદ ક્યાંય સાંભળવામાં નથી. આવતી તેમજ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. જેથી તેઓએ આખરે ના છુટકે સુરતમાં રેંજ આઈજી ઓફીસ બહાર ધરણા પર બેસવું પડ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી તેઓ અહી ધરણા પર બેસી રહેશે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.