તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત હાઈકોર્ટે બળાત્કારના ગુનામાં લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈને જેલમાંથી મુક્ત કરવા માટે 14 દિવસના ફર્લો જામીન મંજૂર કર્યા છે. બીમાર માતાને મળવા માટે કોર્ટે નારાયણ સાંઈના ફર્લો મંજૂર કર્યા છે. ડિસેમ્બર 2013માં હરિયાણાથી બળાત્કારના કેસમાં નારાયણ સાંઈની ધરપકડ થયા બાદ તે પહેલીવાર જેલની બહાર આવ્યો છે. સુરતની લાજપોર જેલમાંથી બહાર આવતાની સાથે જ નારાયણ સાંઈને જાપ્તા સાથે અમદાવાદ લઈને પોલીસ રવાના થઈ છે.
નારાયણ સાંઈનું જેલમાંથી બહાર આવ્યા બાદ નિવેદન
નારાયણ સાંઈએ જેલમાંથી બહાર આવી જણાવ્યું હતું કે, સાત વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યો છું. માતાની તબિયત માટે જામીન મળતા કોર્ટ અને રાજ્ય સરકારનો આભાર માનું છું. લોકોને આગ્રહ છે કે, વધુ ભીડભાડ ના કરે અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવે. કોવિડના નિયમોનું પાલન કરે તેવો હું લોકોને આગ્રહ કરું છું.
નારાયણ સાંઈ ડિસેમ્બર 2013થી સુરતની લાજપોર જેલમાં બંધ
દુષ્કર્મના કેસમાં નારાયણ ડિસેમ્બર 2013થી સુરતની લાજપોર જેલમાં બંધ છે. નારાયણ સાંઈ અને તેના પિતા આસારામના જૂના ભક્ત પર દુષ્કર્મ આચરવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પીડિત યુવતીની બહેને આસારામની સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી જેની સામે ગાંધીનગર કોર્ટમાં આસારામ, તેની પત્ની અને દીકરી સામે કેસ ચાલી રહ્યો છે.
પાંચ હજારના બોન્ડ પર પેરોલ આપવામાં આવ્યાં
નારાયણે હાઈકોર્ટમાં પેરોલ માટે ગત અઠવાડિયે અરજી કરી હતી, જેમાં તેણે કેદીના અધિકારની વાત કરી હતી. પોતાની માતાને ગંભીર બીમારી હોવાની કોર્ટમાં તેણે રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેની માતાનું હૃદય 40% જ કામ કરી રહ્યું છે જેથી તે તેમને મળવા માગે છે. નારાયણની અરજી પર હાઈકોર્ટે સુનાવણી કરીને કેદીના અધિકારોને ધ્યાનમાં રાખીને 5,000ના બોન્ડ પર પેરોલ આપવામાં આવ્યા છે.
ગત મહિને પણ તેણે જામીનની માંગ કરી હતી
પાછલા મહિને 10 દિવસના જામીનની માગણી કરી હતી કે જેથી તે પોતાની બીમાર માતાને મળી શકે. તેણે એવી પણ માગણી કરી હતી કે તેને જામીન મળે તો તે સાધના કરી શકે અને પોતાના પિતા અને આધ્યાત્મિક ગુરુ આસારામને મળી શકે, આસારામને પણ દુષ્કર્મના કેસમાં જોધપુરની જેલમાં આજીવન કેસની સજા સંભળાવવામાં આવી છે. નારાયણ સાંઈ પોતાને ભગવાનનો અવતાર માનનારા આસારામનો દીકરો છે.
શું હતો સમગ્ર મામલો?
વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકા બહેનોએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2002થી 2004 દરમિયાન સાધિકા બહેનો સાથે નારાયણ સાંઈ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ નારાયણ સાંઈ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે નાસતા ફરતાં નારાયણ સાંઈને પંજાબ દિલ્હી બોર્ડર પરથી પકડી લીધો હતો.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.