રેલવે સુરત-વડોદરા, સુરત -સંજાણ અને ઉધના-પાલધી મેમુ સહિતની અનારક્ષિત ટ્રેનો 16મીથી ફરી શરૂ કરશે. સુરત-વડોદરા મેમુ 18મીથી શરુ થશે. જે બપોરે 3.55 વાગ્યે ઉપડી 7.20 વાગ્યે વડોદરા પહોંચશે. ભરૂચ-સુરત મેમુ બપોરે 3.50 વાગ્યે ઉપડી 5.20 વાગ્યે સુરત પહોંચશે. સુરત-સંજાણ મેમુ 16મીથી દોડશે. જે સાંજે 5.25 વાગ્યે ઉપડી રાત્રે 8.35 વાગ્યે સંજાણ પહોંચશે. સુરત -નંદુરબાર મેમુ 17મીથી દોડશે. જે 6.15 વાગ્યે ઉપડશે. ઉધના - પાલધી મેમુ 17મીથી દોડશે. જે બપોરે 12.45 વાગ્યે ઉપડી 8.15 વાગ્યે પાલધી પહોંચશે.
દક્ષિણ ગુજરાતના 25 હજાર મુસાફરોને લાભ
રેલવેએ મેમુ અને પેસેન્જર ટ્રેનો શરૂ કરી દેવાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી એકલા દક્ષિણ ગુજરાતના જ 25 હજારથી વધુ રોજિંદી મુસાફરી કરતા લોકોની મુશ્કેલીનો અંત આવી જશે એવી ધારણા છે.
આ ટ્રેનો પણ શરૂ કરાઇ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.