તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલિકા દ્વારા અપાતા જન્મ-મરણના પ્રમાણપત્રોમાં રાષ્ટ્રીયતાની કોલમ ઉમેરવાની માંગણી સાથે પૂર્વ નગરસેવક નિતીન ભરૂચાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર મોકલી રજૂઆત કરી છે. સુરત પાલિકા દ્વારા 1 એપ્રિલથી જન્મ મરણના પ્રમાણપત્રો ગુજરાતી અંગ્રેજી બંને ભાષામાં એક જ કાગળ પર આપવાની શરૂઆત કરાઇ છે. પરંતુ પ્રમાણપત્રમાં રાષ્ટ્રીયતાની કોલમ ઉમેરવામાં આવી નથી. હાલના સંજોગોમાં આ પ્રમાણપત્રો જે કાગળો પર આપવામાં આવે છે તે પણ દસ્તાવેજી પુરાવા તરીકે સાચવી રાખવામાં અગવડતા પડતી હોઇ છે.
જન્મ-મરણના પ્રમાણપત્રોમાં રાષ્ટ્રીયતા કોલમ ઉમેરવાની જરૂરિયાત એટલે માટે છે કે, હાલમાં ડ્રાઇવીંગ લાયસન્સ, વોટીંગ કાર્ડ, પાનકાર્ડ, આધારકાર્ડ, પાસપોર્ટ જેવા પ્રમાણપત્રોમાં ભારતીય રાષ્ટ્રીયતા સાબિત થઇ શકે તેવો કોઇ ઉલ્લેખ દસ્તાવેજી પુરાવાઓમાં મળતો નથી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.