ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 19ના કોર્પોરેટર વિજય ચોમાલે પોતાના બોર્ડમાં રામ નવમીની ધુમધામથી ઉજવણી માટેની તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ, તેને લઈને પણ અનેક ચર્ચાઓ ઊભી થઈ રહી છે . કોર્પોરેશનના અધિકારીઓને પોતાના વિસ્તારના મંદિરોનો સર્વે કરવાની કામગીરી સોંપવામાં આવી છે.
રામનવમીને લઈને તૈયારી
સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર રામનવમીની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, હવે કોર્પોરેશનના કર્મચારીઓ મંદિરના સર્વેની કામગીરીમાં જોડાશે. વોર્ડ નંબર 19 માં જેટલા મંદિરો આવી રહ્યા છે. તેની યાદી બનાવવા માટે સૂચના આપવામાં આવી છે. અધિકારીઓની એક ટીમ વોર્ડ નંબર 19ના મંદિરોનો સર્વે કરશે. નાના મોટા મંદિરોની યાદી બનાવીને વોર્ડ સમિતિમાં રજૂ કરશે.
રામનવમીના દિવસે મહાઆરતીનું આયોજન
રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે રામનવમીને લઈને ઉત્સવનો માહોલ સ્વાભાવિક રીતે જ દેશભરમાં દેખાશે. સુરતના વોર્ડ નંબર 19ના કોર્પોરેટર દ્વારા પોતાના વિસ્તારમાં રામનવમીની ઉજવણી કરવા માટેની તૈયારી કરી છે. નાના મોટા તમામ મંદિરોમાં આરતીની તૈયારી કરવામાં આવશે. નાના મોટા તમામ મંદિરોમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવશે.
મંદિરના રંગ રોગાન માટે લોક ભાગીદારી
વિજય ચૌમાલને પૂછવામાં આવ્યું કે, જે મંદિરો ઉપરનો ખર્ચ થશે. તે કોના દ્વારા કરવામાં આવશે. એ બાબતે તેમને સ્પષ્ટતા કરી છે કે, આ ખર્ચ લોક ભાગીદારીથી થશે. તેમજ જે મંદિરોના સાર સંભાળ લેનારાઓ છે. તેઓ ખર્ચ ઉપાડી શકે એમ હશે. તો તેમ તેઓ ખર્ચ કરશે. નહીં તો અમે અમારા વિસ્તારના આગેવાનોને કહીને કામગીરી કરીશું. સાફ-સફાઈની સાફ સફાઈની કામગીરી તો કોર્પોરેશનના કર્મચારીઓ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.