તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વીર નર્મદ યુનિવર્સિટીની અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષા કાર્યરત છે. તેવામાં જ પરીક્ષા સમયે કોઈ વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવે તો તેને હોમ કોરોન્ટાઇન કરવાની ફરજ પડતા તેમની પરીક્ષા અટકી જાય છે. આવી સ્થિતિ ધ્યાને આવતા યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને રાહત આપતા બચેલા પ્રશ્નપત્ર પૂરક પરીક્ષામાં આપી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરી છે. ફરિયાદો મળ્યા બાદ યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લઈ હોમ કોરોન્ટાઇન થયેલા વિદ્યાર્થીના બચેલા પ્રશ્નપત્ર પૂરક પરીક્ષામાં લેવાશે. જો કે, હોમ કોરોન્ટાઇન થનારા વિદ્યાર્થીઓએ કોલેજોના આચાર્ય કે પછી વિભાગના વડાને અરજી કરવાની રહેશે. તે સાથે હોલ ટિકિટ, કોવિડ-19નો રિપોર્ટ અને હોમ કોરોન્ટાઇનનો ફોટો સહિતની બાબત આપવાની રહેશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.