તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હૃદયરોગ અને ડાયાબિટીસની બિમારીથી પીડાતા 69 વર્ષિય જબ્બરસિંહે 35 દિવસની લાંબી સારવાર બાદ કોરોનાને મ્હાત આપી છે. પાંચ દિવસ વેન્ટિલેટર અને 20 દિવસ ઓક્સિજન પર રહેનારા જબ્બરસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના ફેફસા 40થી 50 ટકા ઇન્ફેક્ટેડ થઇ ગયા હતા. ડી-ડાયમરનું નોર્મલ પ્રમાણ 100થી નીચે હોય પરંતુ તેમનામાં આ પ્રમાણ 6000ને પાર કરી ગયું હતું. સ્ટેન્ટ મુકાવ્યું હોવા છતાં તેમણે કોરોના સામે લડવા હિંમત રાખી હતી.
પ્લાઝમા થેરાપી આપવામાં આવી હતી
તેમની સારવાર કરનાર નવી સિવિલ હોસ્પિટલના ડો. આદિત્ય ભટ્ટે કહ્યું કે, જબ્બરસિંહને પ્લાઝ્મા થેરાપી પણ આપવામાં આવી હતી. દાખલ થયા ત્યારે તેમના શ્વેતકણ 22 હજાર થઇ ગયા હતા. શ્વાસ લેવામાં પણ તેમને તકલીફ થતી હતી. ઓક્સિજન લેવલ પણ 80થી નીચે આવી જતા પાંચ દિવસ સુધી સતત તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને સતત 20 દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. જોકે 35 દિવસ પછી તેમનું ડી-ડાયમર 150 સુધી આવી ગયું હતું અને તેમને ડિસ્ચાર્જ કરાયા હતા.
હરિયાણા લગ્નપ્રસંગમાં ગયા બાદ ચેપ લાગ્યો હતો
જબ્બરસિંહે જણાવ્યું હતું કે સવા મહિના પહેલા તેઓ પરિવાર સાથે હરિયાણા ખાતે લગ્નપ્રસંગમાં ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા બાદ ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ હતી. જેથી 25 ફેબ્રુઆરીએ રિપોર્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો હતો. શરૂઆતમાં મટી જશે તેમ માની હોમ આઇસોલેશનમાં રહ્યો હતો. જોકે 27 ફેબ્રુઆરી પછી શ્વાસની તકલીફ વધી જતા સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો. અગાઉ 2009માં મારી એન્જિયોપ્લાસ્ટી થઇ હતી. જેથી ખુબ ચિંતા થઇ હતી અને ઓક્સિજન લેવલ પણ માંડ 40 ટકા હતું. જેને કારણે 5 દિવસ સુધી મને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જોકે તબીબોની સારવારથી આજે હું બચી શક્યો છું.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.