સુરત શહેર-જિલ્લામાં ધીમે ધીમે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સતતત્રીજા દિવસે વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 95 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં 46 એક્ટિવ કેસ છે. જેમાંથી એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વિતેલા 24 કલાકમાં ચાર દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યો છે. ધીમે ધીમે વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ટેસ્ટિંગ અને રસીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે.
શહેરમાંથી ત્રણ વ્યક્તિ કોરોનામુક્ત
શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10 કેસ સામે આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા 9 નવા કેસ શહેરમાં આવ્યા હતા. છેલ્લે ચાલુ વર્ષના માર્ચ મહિનાની 2 તારીખે કુલ શહેર જિલ્લામાં 4 કેસ કોરોનાના પોઝિટિવ નોંધાયા હતા. શહેરમાંથી બે દર્દી જ્યારે જિલ્લામાંથી 1 દર્દી કોરોનામુક્ત બન્યા છે.
202805 લોકો કોરોનામાંથી સાજા થઇ ચૂક્યા છે
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205095 કેસ સામે આવી ચુક્યા છે જે પૈકી 202805 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. કુલ 2240 લોકો શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામી ચુક્યાનું સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.