તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રાજકીય માહોલ બરાબર ગરમાયો છે. આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ ધ્યાન બીટીપી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ ગઠબંધન કરીને ખેંચ્યું છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ઓવૈસીએ સુરત એરપોર્ટ પર કહ્યું કે, અમે ગુજરાતમાં પ્રથમવાર આવ્યાં છીએ. અમારું ગઠબંધન થયું હોવાથી હવે અમે અહિં પણ અમારૂં અસ્તિત્વ ઉભું કરીશું. ભરૂચ જતા અગાઉ ઓવૈસીએ કહ્યું કે, ભાજપને જીતાવડાના અમારા પર આરોપ લાગે છે તે તદ્દન ખોટું છે અમારી ગેરહાજરીમાં પણ ત્રણ દાયકાથી અહિં ભાજપ જીતે છે. હું રાજકારણની લૈલા છું. બધા જ મને ચાહે છે. ગુજરાતના લોકો પણ અમને પ્રેમ આપશે અને અમે જીતીશું.
અમે કોઈને ફાયદો કરાવતા નથી-ઓવૈસી
ભરૂચ જતા અગાઉ સુરત એરપોર્ટ પર ઉતરેલા ઓવૈસીએ કહ્યું કે, અમે ભાજપને ફાયદો કરાવવા કે કોંગ્રેસને નૂકસાન કરાવવા માટે રાજકારણમાં નથી આવ્યા અમે તો અમારૂં અસ્તિત્વ ઉભું કરવા માટે રાજકારણમાં આવ્યા છીએ. આગામી સમયમાં અમે ગુજરાતમાં પણ અમારી વાત રજૂ કરીશું લોકોને પ્રેમ અમને પણ મળશે તે વાત ચોક્કસ છે.
ગુજરાતમાં જીતની આશા વ્યક્ત કરી
ઓવૈસીએ કહ્યું કે, અમે ગુજરાતમાં પ્રથમવાર આવ્યા છીએ. અમારો પક્ષ નવો છે ગુજરાત માટે એટલે બીટીપી સાથે વિચારધારાનું ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા છીએ અમે આશા રાખીએ છીએ કે અમને જીત મળશે. ભરૂચ બાદ અમદાવાદમાં પણ લોકોને મળીને સભા સંબોધવામાં આવશે તેમ ઓવૈસીએ કહ્યું હતું. એરપોર્ટ પર ઓવૈસીના સમર્થકોએ ફૂલોના હાર અને પુષ્પગુચ
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.