શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા 'અસંગઠિત શ્રમિક સંમેલન'નું રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર એમ 6 જિલ્લાઓમાં આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મંત્રી બ્રિજેશ કુમાર મેરજા અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં મોરબી ખાતેથી વર્ચ્યુઅલી જોડાઈને તમામ અસંગઠીત શ્રમિકોને ઉદબોધન કર્યું હતું.
આ 6 જિલ્લાઓમાં અંદાજે 2000 અસંગઠીત શ્રમિકો તથા બાંધકામ શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દરેક સ્થળે અસંગઠીત શ્રમિકો માટે ઇશ્રમ કાર્ડ તથા બાંધકામ શ્રમિકો માટે ઈ-નિર્માણ કાર્ડ કઢાવવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં 283 અસંગઠીત શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ તથા 84 બાંધકામ શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ સ્થળ પર જ કાઢી આપવામાં આવ્યાં હતા. આ ઉપરાંત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ની વિવિધ યોજનાઓના 121 લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવેલ અને પીએમ સ્વનિધી યોજનાના 56 લાભાર્થીઓએ લાભ મેળવેલ હતો. આજ કાર્યક્રમ ગાંધીનગર, મોરબી, મહેસાણા અને જૂનાગઢ 4 જિલ્લાઓમાં આવતીકાલે યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.