તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના સમયમાં સોશિયલ ડિસ્ટસન્સ જળવાઈ રહે તે હેતુથી પ્રવાસન સ્થળો પર પ્રતિબંધ મૂકાયો હતો. જેથી પ્રવાસન સ્થળો પર કામ કરતાં લોકોની રોજગારીને અસર થઈ હતી. જો કે અનલોક બાદ પ્રવાસનના તમામ સ્થળો ખુલી ગયા છે ત્યારે સુંવાલીનો દરિયા કિનારો ખોલી આપવા માટે પણ સ્થાનિકો માંગ કરી રહ્યાં છે. ક્લેક્ટરને રજૂઆત કરીને સ્થાનિકોએ આવેદનપત્ર આપ્યું હતું.
આજીવિકા પ્રભાવિત થતી હોવાની રજૂઆત
સુંવાલી પર આવેલા જુનાગામ (શિવરામપુર) ની હદમાં આવેલ સુવાલી દરિયાકિનારો પ્રવાસન પ્રવૃતિ માટે જાણીતો છે. દરિયાક્નિારે આવેલ જગ્યા પર ગામના લોકો પ્રવાસીઓ માટે સુવિધાઓ અને સેવાઓ આપે છે. રોજીરોટી મેળવે છે, કોવિડ 19ની પરિસ્થિતિને લીધે સરકારે દરિયાકિનારા પર પ્રવાસન પ્રવૃતિ બંધ કરેલ હતી. હાલમાં ભારત સરકારના જાહેરનામાં અને ગુજરાત સરકારના નિર્ણયો મુજબ જાહેર ખુલ્લી જગ્યાએ પ્રવાસન પ્રવૃતિ તેમજ લોકો ભેગા થવાની મંજૂરી આપવામાં આવેલ છે. જેથી આ જગ્યાએ કોઇ બંધ એવી જગ્યા નથી અને કોવિડની માર્ગદર્શિકાનો ભંગ થવાની શકયતા નથી કેમ કે, દરિયા કિનારે ખુલ્લું વાતાવરણ છે. અમારા ગામના લોકો દરિયાકિનારે આવેલ પ્રવાસીઓને સેવાઓ આપી રોજીરોટી મેળવી રહ્યા છે અને પ્રવાસીઓ પર પ્રતિબંધ હોવાથી લાંબા સમયથી તેમની આજીવિકા પ્રભાવિત થયેલ છે.
ક્લેક્ટરને રજૂઆત કરાઈ
ગામના લોકોની માંગ છે કે, અમારા ગામમાં આવેલ સુંવાલી દરિયાકિનારી ફરીથી પ્રવાસીઓ માટે ચાલુ કરવામાં આવે. હાલમાં મુંબઈ અને ગોવા જેવા પ્રવાસી સ્થળો તેમજ ગુજરાતના અન્ય બીચ ચાલુ થયેલ છે. પરંતુ પોલીસ વિભાગ સુંવાલી દરિયાકિનારે પ્રવાસીઓ માટે માટે મંજૂરી આપતો નથી. સુરત શહેરના લોકો પણ કોવિડ પરિસ્થિતિને લીધે લાંબા સમયથી હરવા ફરવા જઇ શક્યા નથી અને લોકોની માનસિક સ્થિતિ જોતાં દરિયાકિનારે પ્રવાસન અને મનોરંજન પ્રવૃતિ જરૂરી છે. સ્થાનિક જુનાગામના લોકો માંગ કરી છે કે અમારી દરિયાકિનાર પ્રવાસન માટે ખુલ્લો મુકવામાટે જરૂરી સૂચના આદેશ પોલીસ વિભાગને કરવામાં આવે અને મંજૂરી આપવામાં આવે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.