તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, 22 નવા પોઝિટિવ કેસ આવ્યાં છે. જ્યારે જિ્લ્લામાં એક પણ પોઝિટિવ કેસ આજે આવ્યો નથી. જેથી શહેર અને જિલ્લાના મળીને કુલ 955 પોઝિટિવ કેસનો આંકડો પહોંચ્યો છે. આજે શહેર ભરમાં એક પણ મોત ન થતાં મૃત્યુ આંક છેલ્લા બે દિવસથી 39 પર સ્થિર રહ્યો છે. આજે 22 પોઝિટિવ આવ્યા તેની સામે શહેરમાંથી 22 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યાં છે. હાલ સારવાર હેઠળ 364 દર્દીઓ છે. જેમાંથી તે પૈકી 25 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 2- વેન્ટિલેટર, 8- બીપેપ અને 14 દર્દી ઓક્સિજન પર હોવાથી ડોક્ટરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
પોઝિટિવ દર્દીઓના નામ
સિવિલની તબીબ સહિત કોરોનાને માત આપી 62 દર્દી સાજા થતા રજા અપાઈ
કોરોનાની સામે જંગ લડી રહેલી સિવિલ હોસ્પિટલની તબીબ અને સ્ટાફ નર્સ સહિત શહેરના 61 અને જિલ્લામાં 1 દર્દી મળી કુલ 62 દર્દીઓને રવિવારે રજા આપવામાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલના તબીબ ડો. ખુશાલી જે શ્રોફ(25) નો ગઈ તા.23મી એપ્રિલે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને દાખલ કરાયા હતા. રવિવારે તેઓ સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. તેવી જ રીતે સિવિલમાં ફિઝિયોથેરાપી કોલેજમાં રહેતા અને સિવિલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા કાંતાબેન ભરતભાઈ ચૌહાણ(58)નો પણ ગઈ તા.27 એપ્રિલે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને પણ દાખલ કરાયા હતા. રવિવારે તેઓ પણ સાજા થતા તેમને પણ રજા આપી દેવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 530 દર્દીઓ સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.