PMOનો આદેશ:સુરત એરપોર્ટનાં કામ જુલાઈ સુધી પૂર્ણ કરો; નવા ટર્મિનલ બિલ્ડિંગ સહિતની કામગીરી માટે અલ્ટિમેટમ

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર

વડાપ્રધાન કાર્યાલયમાંથી સુરત એરપોર્ટ ઓથોરિટીને પત્ર જારી કરાયો છે કે, હાલમાં ચાલી રહેલી તમામ કામગીરી જુલાઈ સુધીમાં પૂર્ણ કરી દો. હાલમાં બંને ટર્મિનલ બિલ્ડીંગમાં સિવિલ વર્કથી માંડીને ફ્લોરીંગ, મોટી લાઇટીંગ સહિતના કામ 80 ટકા પૂરા થઈ ગયા છે. માત્ર ફિનિશીંગ બાકી છે. જેમાં લાઇટીંગ યોગ્ય રીતે થાય છે કે નહીં, બિલ્ડીંગની બહાર કાચનું કામ, પ્લમ્બરીંગનું કામ, ડેકોરેશન તેમજ નવી દુકાનો તૈયાર કરીને ફર્નિશિંગનું કામ બાકી છે.

આ ઉપરાંત ચેક-ઇન કાઉન્ટરો તૈયાર કરવા તેમજ બાકીનું હજુ એક એરોબ્રિજ તૈયાર કરવાનું કામ બાકી છે. જે માટે હવે માત્ર 4 મહિનાનો સમય છે. આ ઉપરાંત ટર્મિનલ બિલ્ડીંગની બહાર ગાર્ડન પણ બાકી છે, જેમાં હાલમાં માટી પુરાણ સહિતનું કામ ચાલી રહ્યું છે.

બાકી રહેલું સિવિલ વર્ક ઝડપભેર પૂરું કરી દેવાશે
ઇન્ચાર્જ એરપોર્ટ ડિરેક્ટર એસ.સી. ભાલસેએ કહ્યું કે, બે દિવસ પહેલા જ પીએમઓ ઓફિસથી લેટર આવ્યો હતો. જેમાં જે કામ બાકી છે તેને લઇને પ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે. હવે જે સિવિલનું બાકી કામ છે તેને ઝડપભેર પુરુ કરવામાં આવશે. મોટાભાગનું કામ પુરુ થઇ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...