તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા મુસ્લિમ સમાજના રહીશો સાથે ગેરવર્તણૂક થતી હોવાની તથા કોરોના ફેરવવા પાછળ તેઓ જવાબદાર હોવાની ટિપ્પણી કરાતી હોવાનો આક્ષેપ સાથે પોલીસ કમિશનર સહિત ઉચ્ચસ્તરે ફરિયાદ કરાઇ છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છેકે, રાંદેર વિસ્તારમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ દ્વારા મુસ્લિમોને જાહેરમાં અપમાનિત કરવામાં આવે છે. ઋષભ ટાવર જૈનબ હોસ્પિટલ જવાના રસ્તા પર ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા સ્ટાફ દ્વાર મેડિકલ જરૂરિયાત માટે નીકળતા તે જરૂરી ચીજવસ્તુઓ લેવા અથવા લોકોને ફુડ પેકેટ વહેચવા માટે નીકળતા મુસ્લિમ સમાજના લોકો સાથે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે. તેમને રોકવા ઉપરાંત કોરોના ફેલાવા પાછળ તેમનો જ હાથ હોવાનું આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે સ્થાનિક લોકો દ્વારા પોલીસ કમિશનર અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.