તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડિંડોલીમાં સનરાઇઝ ગૃપ ઓફ કંપનીઝના નામે ઓફિસ શરૂ કરીને નવસારીમાં પ્લોટિંગનું આયોજન કરીને 16 લોકો પાસેથી 25.50 લાખ લઈને પ્લોટ નહીં આપીને છેતરપિંડી કરનારી ટોળકી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
ડિંડોલી પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર યોગેશ ચંદ્રપાલ સિંહ(શિવ પાર્ક સોસાયટી,ગોડાદરા),અજીત ચંદ્રપાલ સિંહે(આકાશ એરા એપાર્ટમેન્ટ,ભીમરાડ) નવસારીના જલાલપોરના પરૂજણ ગામમાં શ્રીસાંઈ વિલા સોસાયટીના નામથી પ્લોટિંગ કર્યુ હતું. તેમની સાથે દલાલો સુદામ મોરે(શ્રીનાથ સોસાયટી,પુણા ગામ), પ્રફુલ ગોરધન વસાવા(રહે. ઓમ નગર,ડિંડોલી), અનિલ પાટીલ(રહે. લક્ષ્મી નગર-2,ડિંડોલી)પણ જોડાયા હતા. આરોપીઓની ઓફિસ ડિંડોલીમાં મધુરમ સર્કલ પાસે મધુરમ આર્કેડ અને સાંઈબાબાના મંદિર પાસે હતી. ત્યાં લોકોને પ્લોટ વિશે સમજાવીને પરૂજણ ગામે પ્લોટ બતાવવા લઈ જતા હતા.
છેલ્લા 6 વર્ષમાં તમામે 16 જણા પાસેથી કુલ 25.50 લાખ રૂપિયા પડાવી લઈને કોઈને પણ પ્લોટ આપ્યો ન હતો કે કોઈને પણ રૂપિયા પરત કર્યા નહતા. ભોગ બનેલાઓમાં કલ્પનાબેન મોરે પાસેથી 1.33 લાખ રૂપિયા સહિત કુલ 16 લોકો પાસેથી કુલ 25.50 લાખ પડાવી લીધા હતા. કલ્પના મોરેએ તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ ડિંડોલી પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.