નીરો પીવો નિરોગી રહો.. કહેવત શહેરમાં કેટલાંક નીરા કેન્દ્ર માટે બંધ બેસતી નથી. ઘણા વિક્રેતાઓ નીરામાં સેકરીન નાંખીને વેચી રહ્યાં હોઇ જોખમી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પાલિકાના ફૂડ વિભાગે શહેરના 15 કેન્દ્રો પરથી 16 સેમ્પલ લીધાં હતાં જેને લેબમાં મોકલ્યા તો 4 સેમ્પલો ઉતરતી કક્ષાના નિકળ્યા છે. જેથી ત્રણ સંસ્થાસામે પાલિકાએ એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરી છે. સેકરીન આર્ટિફિસીયલ છે તેનો ઘોળ બનાવી નીરાના એક માટલામાંથી બે માટલા બનાવી વેચાય છે. આ મીઠું સેકરીન આરોગ્ય માટે જોખમી હોય શકે છે.
આ રીતે નુકસાનકારક
આરોગ્ય વિભાગે જણાવ્યું કે, એક અભ્યાસ મુજબ, સુક્રાલોઝ અને એસ્પાર્ટમ આંતરડામાં બેક્ટેરિયાનું સંતુલન બગાડે છે. સ્થૂળતા, આંતરડાના બેક્ટેરિયામાં ફેરફાર ટાઇપ ટુ ડાયાબિટીસ થાય છે. ગળાને નુકશાન, બળતરા, આંતરડાના રોગ, કેન્સરનું પણ જોખમ છે.
આ સંસ્થાઓ સામે ગાળિયો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.