• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • An Application Has Been Submitted To The Commissioner Of Police To Register The Crime Of Culpable Homicide Against The Government Officials Responsible For The Surat Taxila Tragedy.

પોલીસ કમિશનરને આવેદન:સુરતની તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમોના મોતને બે વર્ષ થયા છતાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાયા નથી-વાલીઓ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતકોના વાલીઓએ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. - Divya Bhaskar
મૃતકોના વાલીઓએ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.
  • જવાબદાર અધિકારીઓને જામીન મળી ગયા હોવાથી મૃતકોના વાલીઓની રજૂઆત

સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલ તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 માસૂમોના મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટના માટે જવાબદાર અધિકારીઓ અને બિલ્ડર સહિત ક્લાસ સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ત્યારબાદ પાલિકા અને જીઈબીના અધિકારીઓને જામીન મળી ગયાં હતાં. જેથી મૃતકોના વાલીઓએ આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જવાબદાર અધિકારીઓ સામે પણ સદોષ માનવ વધનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી માગ મૃતકોના વાલીઓ દ્વારા કરવામાં આવી છે.

વાલીઓએ કહ્યું કે, બે વર્ષ થવા છતાં મોટા અધિકારીઓ સામે કશું જ થયું નથી.
વાલીઓએ કહ્યું કે, બે વર્ષ થવા છતાં મોટા અધિકારીઓ સામે કશું જ થયું નથી.

માનવ અધિકાર પંચે બેદરકારી ઠેરવી હતી
પોલીસ કમિશનરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, કેન્દ્ર માનવ અધિકાર પંચે આ ઘટનામાં અધિકારીઓની બેદરકારી અને જવાબદારી ઠેરવી છે. જેથી જીઈબી(ડીજીવીસીએલ), સુરત મનપાના વિકાસ ફાયર વિભાગના અધિકારી, આકારણી વિભાગના અધિકારી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.જામીન પર છૂટી ગયા છે. તો અમુક અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી જ કરાઈ નથી. જેથી તમામ સામે માનવ વધનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.

પાલિકા અને જીઈબીના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરાઈ છે.
પાલિકા અને જીઈબીના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરાઈ છે.

કેસ કોર્ટમાં ચાર્જફ્રેમ થઈ ચૂકી છે
જયસુખ ગજેરા જણાવ્યું હતું કે, તક્ષશિલા અગ્નિકાંડને આજે બે વર્ષ ઉપર થઈ ગયા છે. કેસ કોર્ટમાં ચાર્જ ફ્રેમ થઈ ચૂક્યો છે. પરંતુ મોટા પાયે બેદરકારીથી આટલી મોટી જાનહાનિ થવા છતાં તપાસ અધિકારી દ્વારા ફક્ત નાના કર્મચારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. મોટા અધિકારીઓને રીતસરના છાવરવામાં આવ્યા હોય એમ લાગે છે. જેને લઈને આજે 22 વાલીઓ સુરત પોલીસ કમિશનરને કોર્ટમાં 173(8) ની અરજી કરી તમામ જવાબદાર અધિકારીઓ સામે પગલાં બહાર એવી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...