શહેર સાથે જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ધોધમાર વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. આજથી વરસાદનું જોર ઘટ્યું છે. જોકે, નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળેલા છે. જ્યારે આ સાથે સુરત જિલ્લાની ખાડીઓ પણ ઓવરફ્લો થતા પાણીનો ભરાવો થઈ ગયો છે. દરમિયાન આજે સચિન નજીક ઉંબેર ગામમાં ખાડી પાસે આવેલા જિંગાના તળાવમાં 4 દિવસથી ફસાયેલા 9 લોકોનું સુરત ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા
સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને સ્ટેન્ડિંગ ચેરમેનેએ જણાવ્યું હતું કે ગભેણી ગામ ચોકડી આગળ જતા સચિન પાસે ઉંબેર ગામમાં ખાડી પાસે આવેલા જિંગાના તળાવમાં 4 દિવસથી 9 માણસો ફસાયેલા છે. તે મુજબનો કંટ્રોલરૂમને કોલ મળતા અડાજણ ફાયર સ્ટેશનના અધિકારી, કર્મચારીઓ રેસ્ક્યુ બોટ સહિત રવાના થયેલ અને રેસ્કયુ કરી સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
15થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું
સુરત ફાયર વિભાગને ઉંબેર ગામે રેક્સ્યુ કર્યા બાદ ડાંગી ઉભરાટ રોડ પાસે મરોલીથી આગળ નરોદ ગામમાં બીજા ચાર માણસો ફસાયેલા હોવાની જાણકારી મળી હતી. જેથી રેસ્ક્યુ ટીમ સાથે બોટ લઈને જઈ તેમનું પણ રેસ્ક્યુ કર્યું હતું. સુરત ફાયર વિભાગે આજે અત્યાર સુધીમાં 15થી વધુનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.