તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દર વર્ષે 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવાય છે. જેનો ઉદ્દેશ લોકોમા જાગૃતિ લાવી લોકોનો જીવ બચાવવાનો છે. વિશ્વ કેન્સર દિવસની શેલ્બી હોસ્પિટલ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. હોસ્પિટલ દ્વારા કેન્સરની સારવારથી સાજા થયેલા લોકોને સન્માનિત કરીને કેન્સરને પણ હરાવી શકાય છે એવો સંદેશો આપ્યો હતો. શહેરમાં આ પ્રકારનું આ પહેલું આયોજન હતું. આ વખતે વિશ્વ કેન્સર દિવસની થીમ છે: ‘હું છું અને હું કરીશ.’ આ કાર્યક્રમમાં કેન્સર સામે ઝઝુમીને કેન્સરને હરાવનાર વ્યક્તિઓ પોતાના સંઘર્ષની વાત રજૂ કરી અન્યોને હિંમત અને પ્રેરણા પૂરી પાડી હતી.
ઓન્કો સર્જન ડો. નૈમિષ માણીયાએ જણાવ્યું કે સુરતમાં દર વર્ષે 5 થી 7 હજાર નવા કેસ સામે આવે છે. છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો કેન્સરના કેસમાં 100%નો વધારો થયો છે. જેમાં મોઢાના અને ગળાના કેન્સરના કેસ વધી રહ્યા છે. જોકે રાહતની વાત એ છે કે સુરતમાં પણ મુંબઈ અને અમદાવાદ જેવી સારવાર ઉપલબ્ધ થઈ ગઈ છે જેના કારણે દર્દીઓને વહેલી સારવાર મળી રહી છે. પરંતુ જો સમયસર નિદાન થઈ જાય તો કેન્સરની સારવાર આસાન થઈ જાય છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.