તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભેસ્તાન વિનાયક રેસીડન્સીમાં રહેતા બે સ્થાનિકોએ કુતરાઓને ચીકનમાં ઝેર આપી મારી નાખવાનું ભારે પડ્યું છે. પાંડેસરા પોલીસે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના માનદ સુરત જિલ્લા કલ્યાણ અધિકારી ચેતન ઝવેરીની ફરિયાદ લઈ દિવ્યેશ પટેલ અને મોહન કુશ્વાહા સામે ગુનો નોંધી શુકવારે મોડી સાંજે ધરપકડની કાર્યવાહી કરી છે. આ ઘટના 1લી ફેબુઆરીએ બની હતી.
પોલીસે જણાવ્યું હતું કે, દિવ્યેશ પટેલની દીકરી પાછળ કૂતરો દોડતા તેને ઈજા થઈ હતી. કુતરાઓએ સોસાયટીમાં ચણ ખાવા આવતા કબૂતરોને પણ શિકાર બનાવ્યા હતા. દિવ્યેશ અને મોહનને એમ્બોઈડરીના કારખાના છે. પોલીસે એક શ્વાનનું પશુ ચિકિત્સક કેન્દ્ર બડેખાં ચકલા ખાતે પીએમ કરાવ્યું હતું. શ્વાનના વિશેરા લઈ એફએસએલમાં મોકલી આપ્યા છે. બંને આરોપી સામે આઈપીસી કલમ 429, 114 અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960ની કલમ 11(1)(એલ) તથા ધી ગુજરાત પોલીસ એક્ટ 1951ની કલમ 119 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.