સન્ડે બિગ સ્ટોરી:ઘરકંકાસમાં દર 14 કલાકે 1 મોત, ઘરસભા જરૂરી

સુરત14 દિવસ પહેલાલેખક: રિતેશ પટેલ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 1 વર્ષમાં 436 પુરુષો-183 મહિલાઓ સહિત 619 લોકોએ માત્ર ઘરકંકાસમાં જીવ ગુમાવતાં પરિવાર વિખેરાયા
  • મોબાઇલ, પિયર જવા ન દેવું, ફરવા ન લઈ જવું, ખાવામાં મોડું જેવા સામાન્ય કારણો જવાબદાર

શહેરમાં દર 14 કલાકે એક વ્યકિત ઘરકંકાસને કારણે આપઘાત કરી રહી છે, જેમાં 1 વર્ષમાં 619 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 436 પુરુષો અને 183 મહિલાઓએ જીવ ગુમાવતાં પરિવાર વિખેરાઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 2929 લોકોએ આપઘાત કર્યા, જેમાં 1607 લોકોએ પારિવારિક સમસ્યાને કારણે જીવન ટૂંકાવ્યું હતું.

દર 14 કલાકે એક વ્યકિત ઘરકંકાસને કારણે આપઘાત
2022માં ઘરકંકાસમાં સૌથી વધુ આપઘાત થયા છે, જેમાં મોબાઇલ ન આપવો, પિયર જવા ન દેવું, ફરવા કે ફિલ્મ જોવા ન લઈ જવું, ખાવામાં મોડું થવું, દીકરી અવતરવી કે નિ:સંતાન હોવું, સાસુ-વહુના ઝઘડા જેવા સામાન્ય કારણોમાં ઘરકંકાસ થતાં લોકો આપઘાત કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 1616 પુરુષ, 517 સ્ત્રીઓએ ફાંસો ખાધો છે, જે આપઘાતમાં સૌથી વધુ છે.

‘સાંજે ઘરના સભ્યો 15-20 મિનિટ ભેગા થઈ ચર્ચા કરે તો જીવનની તમામ સમસ્યાનું નિરાકરણ આવી શકે’
હેલ્પલાઇન : આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હોવ તો નં. 79904 75630 (ડો. બાલી ભલાણી) અથવા તો જીવન આસ્થા હેલ્પલાઇન નં. 1800 233 3330 પર ફોન કરી શકો છો.

ઘરસભા આટલી અસરકારક
પ્રમુખસ્વામી મહારાજે ઘર સભાનો અદ્‌ભુત ઇલાજ આપ્યો છે. રોજ સાંજે કે રાત્રે ઘરના બધા જ સભ્યો 15-20 મિનિટ ભેગા થાય. એકાદ પ્રાર્થના કે ભજન ગાય, પવિત્ર ગ્રંથનું કે મહાપુરુષના જીવનચરિત્રનો પાઠ-વાંચન કરે, તેના પર હળવી ગોષ્ઠિ થાય, ત્યારબાદ ઘરના નાના-મોટા પ્રશ્નોનું સમાધાન થાય તે માટે બે મિનિટ ધૂન થાય. આમાં બાળકો-મહિલાઓ-વડિલો સહિતના જોડાય. આમ કરવાથી બધા વચ્ચે સંવાદિતાનો એક સેતુ બંધાય છે. અમે જોયું છે, આ ઘરસભાથી લાખો પરિવારોમાં સુંદર પરિણામ આવ્યાં છે.

આ ઘરસભાથી લાખો પરિવારોમાં સુંદર પરિણામ આવ્યાં
કેટલાક સાઇકોલોજીસ્ટ -સાઇકિયાટ્રિસ્ટોએ ઊંડા ઊતરીને સમજવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમને આશ્ચર્ય થાય છે કે ઘર સભા કઈ રીતે આટલી મોટી ઇફેક્ટ ઉત્પન્ન કરે છે. નિયમિત ઘરસભાથી સ્વભાવમાં પરિવર્તન આવે છે. ઘરમાં શાંતિ થઈ જાય. એકબીજાને સમજવાની દૃષ્ટિ મળે છે. બે પેઢી વચ્ચેનું અંતર ઘટે છે. જિદ્દી બાળકોમાં પરિવર્તન આવે છે. - મહંત સ્વામી મહારાજ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા

આ રીતે સૌથી વધુ લોકોએ જીવન ટૂંકાવ્યાં

પ્રકાર202020212022

ફાંસો ખાવાથી

643761729

ઝેરી પ્રવાહી પીને

158237210

ડુબી જવાથી

152016

ઉંચાઈથી કુદીને

262520

જીવન ટૂંકાવનારાઓનું વયજૂથ

14 થી 18 વર્ષના

516265

18 થી 30 વર્ષના

330425405

30 થી 45 વર્ષના

279340342

45 થી 60 વર્ષના

129160133

60થી ઉપરના

696255

આ કારણોથી લોકોએ જીવ ગુમાવ્યા

કારણો202020212022
પારિવારીક સમસ્યા432556619
બિમારીથી કંટાળી117205217
અગમ્ય કારણોથી12515846
અભ્યાસ સંબંધી કારણો412325
કારર્કિદીની સમસ્યા254224

સ્ત્રીઓ કરતા પુરુષોમાં પ્રમાણ વધુ

જાતિ202020212022
પુરુષ645786705
સ્ત્રી223272298
કુલ86810581003
અન્ય સમાચારો પણ છે...