માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામથી મીરાપુર ગામ સુધીનો માર્ગ અત્યંત બિસમાર બની જતા વાહન ચાલકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. છેલ્લા એક માસથી વરસી રહેલા વરસાદને કારણે ઠેરઠેર રસ્તાઓ બિસમાર બની ગયા છે. ત્યારે તાલુકાના મુખ્ય વેપારી મથક ગણાતા ઝંખવાવ ગામથી મીરાપુર ગામને જોડતા માર્ગ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. વાહન ચાલકોએ આ માર્ગ પરથી કઈ રીતે પસાર થવું તે એક સવાલ છે જેમાં ખાસ બાઇક ચાલકો ને મોટી મુશ્કેલીઓ સર્જાઇ રહી છે.
માર્ગ ઉપર મોટા ખાડા હોવાને કારણે નાના વાહન ચાલકોને વધુ અકસ્માતો થઈ રહ્યા છે બીજી તરફ સ્થાનિક ખેડૂતો ને પોતાના ખેતરમાં જવા માટેનો ઉપયોગી માર્ગ હોવાથી ખેડૂતોની મુશ્કેલી પણ વધી ગઈ છે. વધુમાં ઉપરોક્ત માર્ગ પર થી સ્ટોન ક્વોરી ના ભારે વાહનો મુશ્કેલી થી પસાર થઈ રહ્યા છે. ઝંખવાવ મીરાપુર સહિત આસપાસ વિસ્તારના ગામના લોકો ઉપરોક્ત માર્ગ નુ સમારકામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. ત્યારે તંત્રના જવાબદાર અધિકારીઓ આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરી લોકોની મુશ્કેલી દૂર કરે તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.