તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મરોલીથી ઓખા જતી એસટી બસમાં માછીમારો સવાર હોય. એસટી બસનું ચેકિંગ કરવા સિયાલજ પાટિયા પાસે ઊભી રાખવામાં આવી હતી. જેમાંથી એક યુવક લઘુ શંકા કરવા ઉતર્યો હતો. જ્યાં અચાનક ખેંચ આવી જતાં તે ગટરમાં પડ્યો હતો અને તુરંત જ તેનું શ્વાસ ફૂલાઈ જવાને કારણે મોત થયું હતું.
મરોલીથી ઓખા માછીમારોને લઈને જતી સ્પેશીયલ બસ નં (GJ-18Z-5662)ને એસટી વિભાગના ચેકિંગ સ્ટાફ દ્વારા સિયાલજ પાટિયા પાસે ઊભી રાખવામાં આવી હતી. જેમાંથી 27 વર્ષનો નિલેશભાઈ ચિમનભાઈ વારલી લઘુશંકા કરવા માટે બસમાંથી ઉતર્યો હતો. ગટરની પાસે ઊભા રહેલા નિલેશને અચાનક ખેંચ આવી જતાં તે ગટરમાં ઉંધા માથે પડી ગયો હતો. આ જોતા બસમાં સવાર અન્ય લોકોએ તેને તુરંત ગટરમાંથી કાઢ્યો હતો. પંરતુ આ પહેલા તેનું મોત થયું હતું.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.