ઉમરાછી ગામે સ્મારક બન્યાને લગભગ દસ વર્ષ ઉપર થવા આવ્યા છતા પણ ગાંધી પ્રતિમા સ્થાપિત થઈ ન હતી.ત્યારે આગામી 28 માર્ચે દાંડીયાત્રા આવવાની હોઈ ભવ્ય કાર્યકમ પહેલા તંત્ર દ્વારા ગાંધી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારે નેતાઓને વ્હાલા બનવાની હોડમાં લાગેલા બાબુઓને બાપુ જ સદબુદ્ધી આપે તેવી પ્રાર્થના કરવી રહી.
દાંડીયાત્રા પૂર્વે નામ પણ સુધારાયું
અમદાવાદ ગાંધી આશ્રમથી શરૂ થયેલ દાંડીયાત્રા આગામી 28 મી માર્ચના રોજ ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામેથી સુરત જિલ્લામાં પ્રવેશ કરશે.ત્યારે મહાત્મા ગાંધીજીએ ઉમરાછી ગામે રાત્રી રોકાણ કરતા આવી રહેલ દાંડીયાત્રા પણ રાત્રી રોકાણ કરશે. ત્યારે લાખોના ખર્ચે બનેલ ઉમરાછી ગાંધી સ્મારકે વર્ષોથી ગામનું નામ ઉમરાચી લખાયેલું હતું. ત્યારે હવે 28 માર્ચ ના રોજ દાંડીયાત્રા આવે તે પૂર્વે ભૂલ સુધારી નામ ઉમરાછી કરાયું હોવાનું જોવા મળે છે.અત્યાર સુધી તંત્રને નામ ભૂલ સુધાર માટે સમય મળ્યો ન હોઈ પણ 28 પહેલા નામમાં સુધારો કરી દેવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.