તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કામરેજ તાલુકાના નેત્રંગ ગામે 9 વર્ષીય માસૂમ બાળાનું અપહર કરી તેની પર બળાત્કાર ગુર્જાયા બાદ તેની હત્યા કરનારો 18 વર્ષ બાદ યુપીથી ઝડપાયો હતો. કામરેજ તાલુકાનાં નેત્રંગ ગામે 2003માં પડાવમાં રહેતી નવ વર્ષીય પરપાંતીય માસુમ બાળાને શાકભાજી વેચવા આવતો પરપાંતીય પખંડી ઉર્ફે દિલીપ રમાશંકર પ્રજાપતિ નામનો ફેરિયો અપહરણ કરી ગયો હતો, જેની જે તે વખતે કામરેજ પોલિસમાં 363, 366 મુજબ અપહરણનો ગુનો નોંધાયો હતો. બાદ નેત્રંગ ગામની સીમમાંથી બાળકીની લાશ એક વર્ષ પછી મળી આવી હતી.
પોલીસ ચોપડેે વોન્ટેડ દિલીપ પ્રજાપતિ યુ.પી. સ્થિત પોતાનાં ગામ હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળતા કામરેજ, ઓલપાડ અને કોસંબા પોલીસની ટીમ યુ.પી.નાં ડુમૈલા ગામ તા. રાજા તલાવ જિ. બનારસ પહોંચી આરોપીને પકડી કામરેજ લાવી પુછતાછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. આરોપી દિલીપે માસુમ બાળાનું અપહરણ કરી જેની સાથે દુષ્કર્મ આચરી ગળુ દબાવી હત્યા કરી ગામની સીમમાં નાંખી દઇ ફરાર થઇ ગયો હોવાની કબૂલાત કરી હતી. આરોપીની કબુલાત બાદ કામરેજ પોલીસે હત્યા અને બળાત્કારની કલમો 302, 376 (2)(છ)ઉમેરી કોર્ટમાં રજુ કરી 19-2-2021સુધીનાં રીમાન્ડ મેળવ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.