પાલિકા નિષ્ફળ:ત્રણ ટર્મના શાસકો ગાંધીરોડથી મદારિયા ભવનનો ટીપી રસ્તો ખુલ્લો કરવામાં નિષ્ફળ, હવે ફરી માપણી

બારડોલી‎13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ ટર્મથી બારડોલી પાલિકાના શાસકો અભિયાન છેડ્યા બાદ પાણીમાં બેસી જવાનો ઇતિહાસ‎
  • હાલના શાસકોને ફરી યાદ આવતા ડીમારર્કેશન કરાવ્યું, ડીપીથી શરૂ થયેલી કામગીરીમાં ટીપી નં.3 આવી છતાં પરિસ્થિતી એજ‎

છેલ્લી ત્રણ ટર્મથી બારડોલી‎ નગરપાલિકામાં શાસકો ચૂંટાઈને આવે‎ અને એક વખત ગાંધીરોડથી ગૌરવપથને‎ જોડતો માર્ગ, જે પહેલા ટીપી હતો અને‎ હવે ટીપીનં 3 થઈ છે. જેની માપણી જરૂર‎ કરાવતા હોય છે. તાજેતરમાં નવા‎ શાસકોએ ફરી એકવખત આ માર્ગને‎ ખુલ્લો કરવા માટે અધિકારીઓ સાથે‎ સ્થળ પર પહોંચીને માપણી કરાવી, અને‎ ડીમાર્કેશન પણ કરાવ્યું છે.

પરંતુ, અત્યાર‎ સુધીમાં 80 ફૂટનો માર્ગ પરના દબાણને‎ એકપણ ટર્મના શાસકો હટાવી શક્યા‎ નથી અને રસ્તો ખુલ્લો કરી શક્યા નથી.‎ ત્યારે ફરી એક વખત શાસકો મેદાનમાં‎ આવતા, આ માત્ર દેખાડો છે, કે પછી‎ હકીકતમાં માર્ગ ખુલ્લો કરાવી શકશે‎ ખરા ? જેવા પ્રશ્નો ઊઠી રહ્યા છે.‎ બારડોલીના ગાંધીરોડ પર બીનીતાપાર્કની‎ બાજુમાંથી પસાર ડીપી રોડ જે‎ મુખ્યમાર્ગને મળે છે.

છેલ્લા પંદરેક વર્ષ‎ પહેલાથી આ માર્ગને ચાલુ કરવા,‎ પાલિકાના ચૂંટાઈને આવતા શાસકો એક‎ વખત અભિયાન હાથમાં લેતાં હોય છે.‎ માપણી કરાવીને ડીમાર્કશન પણ કરાવે‎ છે, પરંતુ ત્યાર પછી એક શાસકો‎ પાણીમાં બેસી જતા હોય છે અને ટર્મ પૂરી‎ થઈ જતી હોય છે. બીજા શાસકો આવી‎ ફરી એજ પુનરાવર્તન કરતા આવ્યા છે.‎ ત્રણ ટર્મ પૂરી થઈ ગઈ છે.

પરંતુ એકમાત્ર‎ ગાંધીરોડ પરનું કોમ્પલેક્ષ ડીમોલિશન‎ સિવાઈ કશું પોગ્રેશ થયું નથી. પાલિકાના‎ સુવર્ણ ઇતિહાસમાં આ નોંધ છે. ડીપી‎ માર્ગ હવે, વર્ષ 2017માં ટીપી નં.3‎ મંજૂર થઈ જતાં ટીપીનો માર્ગ થયો છે.‎ પરંતુ શાસકો માર્ગ ખુલ્લો કરી શક્યા‎ નથી. હાલના ચૂંટાયેલ શાસકોને પણ આ‎ મુદ્દો ધ્યાનમાં આવ્યો છે, પાલિકાના‎ અધિકારીઓ સાથે ફરી આજ માર્ગની‎ માપણી કરાવીને ડીમાંર્કેશન પણ કરાવ્યું‎ છે.

પરંતુ આ 80 ફૂટના માર્ગ પર‎ રહેણાક, કોમર્શિયલ અને ધાર્મિક સ્થળ‎ આવતું હોવાથી જેનું દબાણ હટાવવા‎ પાલિકાના શાસકો માટે લોઢાના ચણા‎ ચાવવા જેવી બાબત છે. ત્યારે શાસકો‎ પાલિકાના વધતા જતા ટ્રાફિકના‎ ભારણને હળવું કરવા માટે ટીપી નં.3‎ માર્ગ ખુલ્લો કરાવી શકશે ખરા ? જેવા‎ પ્રશ્ન પણ ઊઠયા છે. સાથે, શાસકોનો‎ ફરી માત્ર દેખાડો જ સાબિત થશે, કે‎ હકીકતમાં નગરજનોના હિત માટે દબાણ‎ ખુલ્લું કરાવી શકશે ખરા ? એ માટે‎ સમયની વાટ જોવી રહી.‎

આ મિલકતો ટીપી માર્ગમાં દબાણમાં આવે‎
પાલિકાએ ટીપી નં 3નો માર્ગ‎ ખુલ્લો કરવા તાજેતરમાં માપણી‎ સાથે ડીમાર્કેશન કરવામાં આવ્યું‎ છે. આ 80 ફૂટના માર્ગ પર 7‎ મિલકતો દબાણમાં આવતી‎ હોવાનું પાલિકાના બાંધકામ‎ અધિકારીએ જણાવ્યું હતું. જેમાં‎ એક બાળાદેવી સોસાયટીનું‎ મકાન, એક દુકાન, મંદિર,‎ મદારીયા સમાજનું બિલ્ડીંગ,‎ કમ્પાઉન્ડ વોલ, રૂમ,‎ એન્જિનિયરિંગ આવતું હોવાનું‎ જણાવ્યું હતું.‎

રસ્તો ખુલ્લો થતાં ટ્રાફિક હળવો થઇ શકે‎
ગાંધીરોડથી મૂખ્ય માર્ગ પર જવા જલારામ મંદિરનો માર્ગ એકમાત્ર‎ મોટો વિકલ્પ છે. જેથી ટ્રાફિકનું ભારણ છે. જો, આ ટીપી રસ્તો ખુલ્લો‎ થાય તો, ટ્રાફિક વહેચાશે . નગરજનોને બે માર્ગની સુવિધા મળી શકે.‎ કારણ સર્વોદય સોસા.માં ભારે વાહનો અવર જવર કરી શકતા ન‎ હોવાથી, સ્ટેશન રોડ, અને સુરતી જકાતનાકા રોડ બેજ ઓપ્શન હતું,‎ આ માર્ગની સુવિધાથી ભારે વાહનોને પણ ઓપ્શન મળી રહેશે.‎

ખુલ્લું મળે એટલામાં રસતો‎
ગાંધીરોડથી ગૌરવપથને જોડતા માર્ગ ટીપી નં.3નો‎ માર્ગની માપણી સાથે ડીમાંર્કેશન કરાયું છે. હાલ જ્યાં‎ જેટલું માપ મળે એટલો માર્ગ ખુલ્લો કરવાનું નક્કી‎ કર્યું છે. બાળા દેવી મંદિર નજીક 40 ફૂટ પહોળાઇ‎ મળે છે, બાકી લગભગ 60થી 80 ફૂટની પહોળાઇ‎ મળે છે. પંકજ પટેલ, બાંધકામ અધિકારી, બારડોલી‎

અન્ય સમાચારો પણ છે...