સુરત જિલ્લા પોલીસે વ્યાજખોરોના આતંક સામે સકંજો કસ્યો છે અને અનેકો વ્યાજખોરો સામે ગુનાઓ દાખલ કરી તગડુ વ્યાજ ચુકવતા સામાન્ય પરિવારોને ન્યાય અપાવ્યો છે. બારડોલી ડિવિઝન અને કામરેજ ડિવિઝન મળી કુલ 18 જેટલા વ્યાજખોરો સામે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં વ્યાજ વસુલી સામાન્ય પરિવારોને હેરાન પરેશાન કરી પાયમાલ કરનાર વ્યાજખોરો સામે રાજ્ય પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ તંત્ર દ્વારા લોકોમાં જાગૃતિ આવે અને વ્યાજખોરો સામે અવાજ ઉઠાવે તે માટે છેલ્લા ઘણા દિવસોથી અનેકો પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે વાત કરીએ સુરત જિલ્લા પોલીસની તો પોલીસ તંત્ર દ્વારા ગલી એ ગલી એ પી.સી.આર વાનમાં માઈક લગાવી લોકોને વ્યાજખોરો સામે ફરિયાદ આપવા સંદેશો આપવામાં આવ્યો હતો. સાથેજ પોલીસ તંત્રએ અનેકો મિટિંગ અને જાગૃતિરૂપ પત્રિકાઓનું પણ વિતરણ કર્યું હતું. સુરત જિલ્લા પોલીસની આ કામગીરી રંગ લાવી હતી અને જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી ત્રાસેલા 18 જેટલા પરિવારો સામે આવ્યા હતા. જે તમામની ફરિયાદ આધારે વ્યાજખોરો સામે પોલીસે ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લામાં કયાં પોલીસ મથકે કેટલા વ્યાજખોરો સામે ગુનો દાખલ થયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.