તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ 28 કેસ નોંધાયા હતાં. જેની સામે 29 લોકો સાજા થતાં ઘરે પહોંચ્યા હતાં. જ્યારે આજરોજ એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું ન હતું. આમ લાંબા સમયથી કેસમાં ઘટડાની સાથે મોત પર પણ બ્રેક લાગતા તંત્રની સાથે સાથે લોકોેએ પણ રાહત અનુભવી છે.
જિલ્લા આરોગ્ય વિભાગ પાસે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લામાં સોમવારના રોજ 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેની સાથે 12416 લોકો કોરોના સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે 29 લોકોએ કોરોનાને માત આપી છે. જેની સાથે આજદિન સુધીમાં કુલ 11807 લોકો કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. આજરોજ જિલ્લામાં એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું ન હતું. કોરોના સંક્રમણ ધીમુ થયું છે, પૂર્ણ થયું નથી માટે હાલ માક્સને વેક્સીન તરીકે ઉપયોગ કરવો જરૂરી છે.
સોમવારે નોંધાયેલા દર્દી
તાલુકો | આજે | કુલ |
ચોર્યાસી | 2 | 2400 |
ઓલપાડ | 3 | 1,550 |
કામરેજ | 6 | 2,527 |
પલસાણા | 11 | 1,703 |
બારડોલી | 2 | 2,003 |
મહુવા | 1 | 564 |
માંડવી | 0 | 547 |
માંગરોળ | 2 | 1040 |
ઉંમરપાડા | 1 | 82 |
કુલ | 28 | 12416 |
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.