અહિંસા અને શાંતિપ્રિય જૈન ધર્મ વિરુદ્ધ ઝેર ઓકતા સંગઠન અનુપ મંડળ વિરુદ્ધ આજે સમસ્ત જૈન સંઘ બારડોલીના અગ્રણીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અનુપ મંડળ પર પ્રતિબંધ લગાવવા તેમજ આ સંગઠનની ગતિવિધિ સામે કઠોર પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.રાજસ્થાન સ્થિત અનુપ મંડળ દાસકાઓથી તર્કહીન વાતો કરી જૈન ધર્મ, સાધુ, સંતો અને શ્રાવક સમુદાય માટે એલફેલ શબ્દોનો પ્રયોગ કરતું આવ્યું છે. આ સંગઠનના સભ્યો રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં વિશેષ કરીને જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.