તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકારી કચેરીઓ તેમજ જાહેર જગ્યાઓ પર લોકોને સેનેટાઈઝ કરવા માટે સેનેટાઈઝ ટર્નલ મૂકવામાં આવી રહી છે. ત્યારે બારડોલી તાલુકા પંચાયતમાં મૂકેલી સેનેટાઈઝ ટર્નલ ગણત્રીના દિવસોમાં જ હટાવી લેવાઇ છે. બારડોલી તાલુકા પંચાયતમાં પ્રવેશ દ્વાર પર રખાયેલી સેનેટાઈઝ ટર્નલ માત્ર દેખાડા પૂરતી જ હોવાનું પુરવાર થઇ છે. હાલ તાલુકા પંચાયત પ્રવેશ દ્વાર પર કચેરીમાં આવતા લોકોના હાથ સેનેટાઈઝ કરવા માટે પણ કોઈ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી નથી. અને સેનેટાઇઝ ટનલ પણ હટાવી લેવાય છે. સુરત જિલ્લા વિકાસ અધિકારીની સેનેટાઈઝ ટર્નલ હટાવવા સૂચના હતી તેમ તાલુકા પંચાયત ઉપપ્રમુખ દેવુભાઈ ચૌધરીએ જણાવ્યું હતુ.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.