તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બારડોલીના તાજપોર બુજરંગ ગામે બુધવારની રાત્રે મીંઢોળા નદી કિનારે જમીન લેવલિંગનું કામ કરતા જેસીબીની લાઈટમાં 4 દીપડા દેખાયા હતા, વનવિભાગ પાંજરું મુકવાની તજવીજ શરૂ કરી હટી, ત્યાં મધ્યરાત્રીના ગામના આહીર ફળિયામાં ઘરની બાજુના કોઢારમાં બાંધેલ આઠ માસનું વાછરડુનો શિકાર કર્યો હતો. જોકે, બાંધેલ હોવાથી ખેંચી લઈ જઈ શક્યો ન હતો.
સવારે દૂધ કાઢવા આવતા જાણ થઈ
તાજપોર બુજરંગ ગામના આહીરવાસમાં રહેતા પરભુભાઈ ગોવિંદભાઈ આહીર રાત્રે જમીને સુઈ ગયા હતા, વહેલી સવારે પરભુભાઈ આહીર દૂધ કાઢવા માટે ઉઠ્યા હતા, ત્યાંરે કોઢારમાં બાંધેલ 8 માસની વાછરડી મૃત હાલતમાં જોવા મળી હતી, તપાસ કરતા ગરદનના ભાગે ગઈ ઇજા થઇ હતી. નજીકમાં દીપડાના પંજાના નિશાન જોવા મળતા તાત્કાલિક ગામના સરપંચ રાહુલ કોંકણીને જાણ કરી હતી.
પીંજરૂ મૂકવા ભલામણ કરવામાં આવી
ઘટના અંગે ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટને જાણ કરતા સ્થળ પર આવી ચકાસણી કરતા દિપડાએ ગાયના વાછરડાનો શિકાર કર્યો હોવાનું જણાવ્યું હતું. રાત્રે 12 થી 3 વાગ્યાના સમયે હુમલા કર્યો હતો. જતીન રાઠોડ અને તેન સામાજિક વનીકરણના બીટ ફોરેસ્ટર જાદવને જાણ કરતા સાંજે પીજરુ મુકવા જણાવ્યું હતું.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.