હિંમતનગરના સૂરજપુરામાં શુક્ર - શનિવારની રાત્રિ દરમિયાન બે મકાનમાં થયેલ ઘરફોડ પૈકી એક મકાનમાંથી રૂ.6.46 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરીની ગાંભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
સૂરજપુરા ગામના અરવિંદભાઇ અમીચંદભાઇ પટેલના મકાનમાં તા.06-05-22 ની રાત્રિ દરમિયાન મકાનની આગળના ભાગે આવેલ લોખંડની જાળી વાળો દરવાજો અને લાકડાના દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ તિજોરી તોડી ડ્રોઅરમાંથી 3 તોલાનું સોનાનુ મંગળ સૂત્ર, ત્રણ તોલાની સોનાની 3 વીંટી પોણા ત્રણ તોલાની લકી દોઢ તોલાની સોનાની બુટ્ટી સોનાની એક તોલાની 4 ચીણીયો, ચાંદીના રમજા 2 જોડ, રોકડ રૂ.45 હજાર મળી કુલ રૂ.6,46,250 ની મત્તાની ચોરી થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.