ઇડરમાં આવેલ બારેલા તળાવમાં અજાણ્યા શખ્સો દ્વારા પાયાનું ખોદકામ કરતાં પાલિકાને જાણ થતાં કામગીરી બંધ કરાવી હતી. પાયો ખોદતાં પાણીની પાઇપલાઇન તૂટી જતાં વણઝારાવાસમાં પાણી ન મળતાં લોકોમાં રોષ ફેલાયો હતો.
ઇડર-અંબાજી હાઇવે પર બારેલા તળાવમાં પાયા ખોદવાની કામગીરી અજાણ્યા શખ્સો દ્વારા શરૂ કરતાં વણઝારાવાસમાં જતી પાણીની પાઇપલાઈન તૂટી જતાં વણઝારાવાસમાં પાણી ન મળ્યું હતું. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું કે હાલ પૂરતી કામગીરી બંધ કરાવી છે આજે સ્થળ તપાસી કરી નિર્ણય લેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.