નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચપીપરી ગામના ઉષાબેન દિનેશભાઈ વસાવાને મહિલાઓના અધિકાર અને પ્રશ્નોની સચોટ રજુઆત અને હંમેશા ખડે પગે રહી દોડવા માટે ભારત સરકાર તરફથી રાષ્ટ્રપતીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે. ઉષાબેન દ્વારા અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી સમાજના ઉત્થાન માટે જે કાર્ય કર્યું છે તેની સરકાર દ્વારા નોંધ લેવાઇ છે. 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે ‘ નારી શક્તિ પુરસ્કાર 2020 ‘ એનાયત કરવામાં આવશે એની સાથે સર્ટિફિકેટ તેમજ બે લાખ રૂપિયાની પુરસ્કાર રકમ પણ આપવામાં આવશે.
અનેક એવોર્ડથી મળ્યું સન્માન
ઉષાબહેન વસાવાને ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાય અંત્યોદય કૃષિ પુરસ્કાર-2018 થી સન્માનિત કરવામાં આવ્યાં છે. ઉપરાંત સીઆઈઆઈ ફાઉન્ડેશન દ્વારા સજીવ ખેતી અને મહિલા સશક્તિકરણ માટે અવૉર્ડ એનાયત થયો છે. વિશ્વ આદવાસી દિન નિમિત્તે નર્મદા જિલ્લા ક્લેક્ટર પ્રશસ્તિ પત્રથી સન્માન કર્યું હતું. બાગાયત વિભાગે પણ તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં, જે પોતાના ગામની બહાર ક્યારેય નિકળ્યા નહોતા તે મહિલાને સજીવ ખેતીની વિશેષતા સમજાવવા માટે 17 દેશના પ્રવાસ માટે મોકલવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.