• Gujarati News
  • National
  • The Surface Of The Dam Is 116.45 Meters With 13 Thousand Cusecs Of Water Coming From Upstream

રાહત:ઉપરવાસમાંથી 13 હજાર ક્યૂસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 116.45 મીટરે

કેવડિયા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 3 દિવસમાં 27 સેમીનો વધારો
  • ડેમમાંથી કેનાલમાં સિંચાઇ-પીવા માટે 13055 ક્યૂસેક પાડી છોડાય છે

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં નહિવત વરસાદ નોંધાયો છે જેને લઈને નર્મદા બંધની જળસપાટીમાં પણ નહિવત વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસ માંથી 13181 ક્યુસેક પાણીની આવકથઇ રહી છે. ત્યારે રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકાર દ્વારા ખેડૂતોને પાણી આપવા નર્મદા કેનાલમાંથી 13055 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા બંધની જળ સપાટી છેલ્લા 3 દિવસ માં 27 સેમી નો વધારો નોંધાયો છે. નર્મદા બંધન ઉપરવાસમાંથી હાલ 13,181 ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમ ની સપાટી 116.45 મીટર છે.નર્મદા ડેમ માં 4410.94 MCM પાણી નો જથ્થો છે.ગુજરાત માટે મુખ્ય કેનાલમાં સિંચાઈ,પીવા માટે 13055 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. હાલ ચોમાસુ લંબાયું છે.

ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે જેથી રાજ્ય સરકારે ખેડૂતોને પીવાના અને સિંચાઇના પાણીની તકલીફ ના પડે એ માટે નર્મદા કેનામાં પાણી છોડવા નર્મદા નિગમને સૂચના આપી છે જેથી હાલ ખેડૂતોમાટે 13055 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...