તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં રામલલ્લાને આજીવન વીરપુરના જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવશે. આ મામલે બાપાના પરિવારજન ભરતભાઈ ચાંદરાણીએ જણાવ્યું છે કે, ‘વીરપુર જલારામ મંદિરના મહંત રઘુરામબાપાએ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીઓને આ વાત જણાવી હતી. ત્યારે રામ મંદિરના ટ્રસ્ટીઓએ વાત સ્વીકારી લેતા હવે હંમેશા માટે રામલલ્લાનો થાળ વીરપુર જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે.’
ગામલોકોએ ફટાકડાં ફોડી મોં મીઠા કરાવ્યા
આ વાતની જાણ ગામલોકોને થતા જ સમગ્ર વીરપુર ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા. આ ઉપરાંત ગામલોકોએ ઢોલ વગાડી અને ફટાકડા ફોડી આ નિર્ણયને વધાવી લીધો હતો. સમગ્ર ગામમાં આ વાતને લઇને એક અનોખો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આખા ગામમાં ઉત્સવ જેવો માહોલ
મહત્વનું છે કે, જ્યારે રામ મંદિર માટે અયોધ્યામાં તોફાનો થયા હતા. ત્યારે ઇંટ અમારા ગામની આ વીરપુરનું સૂત્ર હતું. જે ગામેગામ પ્રચલિત થયું હતું. ત્યારે આજે ત્રીસ વર્ષ પછી જ્યારે રામ મંદિર કેસનો ચુકાદો આવ્યો અને મંદિર બની રહ્યું છે તેને લઈને પણ ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો. ત્યારે જ રામલલ્લાને આજીવન થાળ ધરાવવાનો મોકો મળતા સમગ્ર વીરપુરની ખુશી બેવડાઈ ગઈ છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.