તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજના અવસાન બાદ તેમને શ્રદ્ધાંજલિ આપવા ખાસ રેફરન્સનું રાજકોટ બાર એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. મોચીબજાર ચોક પાસે આવેલા સિવિલ કોર્ટ બિલ્ડિંગ ખાતે ગુરુવારે બપોરે અભયભાઇ ભારદ્વાજને પુષ્પાંજલિ આપવા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ ઉત્કર્ષ દેસાઇ સહિતના ન્યાયાધીશો તેમજ સિનિયર-જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યાં હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની અદાલતોમાં ચાર દાયકા સુધી વકીલાત કરનાર અભયભાઇ બાર એસો.ના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.
બાર એસો.ના વર્તમાન પ્રમુખ બકુલ રાજાણીની અધ્યક્ષતામાં યોજાયેલા રેફરન્સમાં ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય દિલીપભાઇ પટેલ, તમામ સરકારી વકીલો, સિનિયર ધારાશાસ્ત્રીઓએ અભયભાઇને શ્રદ્ધાંજલિ આપી હતી. રેફરન્સ સભામાં મહેસાણા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પ્રફુલ્લભાઇ ગોકાણી હાજર રહી શ્રદ્ધાંજલિ આપી હતી.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.