રાજકોટ શહેરમાં લોકદરબાર યોજાયા બાદ એક પછી એક વ્યાજંકવાદનો ભોગ બનેલા લોકો સામે આવી રહ્યા છે ત્યારે આજે થોરાળા પોલીસ મથકમાં એક જ ફરિયાદીએ છ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.
તારું મકાન વેચી નાખ્યું છે
અલ્લારખાભાઈ અજમેરીએ દશરથસિહ ગોહિલ, સિકંદર અને એક અજાણ્યા શખસ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સાતેક વર્ષ પહેલા મેં દશરથસિંહનો ડેલો ભાડે રાખ્યો હતો તેના એકાદ વર્ષ પછી 2 લાખ 5 ટકે અને 3 વખત 5-5 લાખ મળી કુલ 19 લાખ વ્યાજે લીધા હતા જેનું વ્યાજ દર મહિને 85 હજાર ભરતો હતો. મારા મોટા ભાઇ હનીફભાઈના મકાનની ફાઈલ સિક્યોરિટી પેટે મૂકી હતી. 6 વર્ષમાં મેં 38 લાખ ચૂકવી દીધા છે છેલ્લા 4 લાખ બાકી છે તે આપી જાવ છું તેમ ફોન કરતા તેણે કહેલ કે મેં તારું મકાન વેચી નાખ્યું છે તેમજ મારો ભાઈ પરિવાર સાથે રહેતો હોય ત્યાં જઈ ત્રણેયએ મકાન ખાલી કરવા ધમકી આપી હોવાનું જણાવતા PSI જી એસ ગઢવીએ તપાસ હાથ ધરી છે.
હજુ 4 લાખ આપવા પડશે
જયારે બીજી ફરિયાદમાં જીલ્લા ગાર્ડન ચોક રહેતા વસીમ મેમણ, વારીસ મેમણ અને એક અજાણ્યા શખ્સ સામે નોંધાવી છે તેમાં જણાવ્યું હતું કે પોતે ત્રણેક વર્ષ પહેલા 4 લાખ 19 ટકે લીધા હતા જેનું દોઢ વર્ષ સુધી નિયમિત વ્યાજ ભર્યું હતું છતાં તારે હજુ 4 લાખ આપવા પડશે તેમ કહી ત્રણેયે ગાળો ભાંડી ઘરે આવીને મારીશ તેવી ધમકી આપતા ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.