તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં કોરોનાની રસી આવ્યાને 28 દિવસ પૂરા થયા છે અને નિયમ મુજબ કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ 28 દિવસ બાદ લેવાનો હોય છે તેથી જે લોકોએ પ્રથમ દિવસે ડોઝ લીધો હતો તેમને બીજા ડોઝ માટે સોમવારે બોલાવવામાં આવ્યા છે.
પ્રથમ દિવસે શહેરમાં 6 બૂથ પર વેક્સિનેશન કરાયું હતું અને બીજા ડોઝ વખતે તે બૂથ ફરીથી એક્ટિવ કરવામાં આવશે અને ત્યાં જે લોકોએ રસી મુકાવી હતી તે તમામ 556ને મેસેજ કરાયા છે હવે તો બીજો ડોઝ પણ લઈ શકશે. જે તારીખ મુજબ લોકોએ પ્રથમ ડોઝ લીધો હશે તેવી જ રીતે તેમને બોલાવવામાં આવશે. એક મહિનામાં 20,000 જેટલા હેલ્થ વર્કર તેમજ કોરોના વોરિયર્સે વેક્સિન લીધી છે જોકે તેમને બીજો ડોઝ દેવામાં આટલો સમય જશે નહીં. નિષ્ણાતો જણાવે છે કે, રસી લીધાના બીજા ડોઝ પછી શરીરમાં એન્ટિબોડી બની જાય છે તેથી આગામી 10 દિવસ પછી આ તમામ લોકો કોરોનાથી સુરક્ષિત થઈ જશે.
કોરોનાની રસીના બીજા ડોઝ આપ્યા ઉપરાંત નવા બૂથ શરૂ કરીને જે હેલ્થ વર્કર અથવા તો સરકારી કર્મચારીઓ કે શિક્ષકો કોરોનાની રસીમાં બાકી છે તેમને પણ સાથે સાથે પ્રથમ ડોઝ અપાશે.
બીજા ડોઝના 15 દી’ બાદ કોરોનાથી સુરક્ષિત ગણાય
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. જય ધીરવાણીના જણાવ્યા અનુસાર જે લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે ત્યારથી જ એન્ટિબોડી બનવાનું ચાલુ થઈ ગયું હોય પણ તેમનું પ્રમાણ ખૂબ ઓછું હોય તેમજ શરીરે શરીરે અલગ અસર હોય છે. પણ, સંપૂર્ણ એન્ટિબોડી માટે બીજો ડોઝ લેવો અનિવાર્ય છે. બીજા ડોઝના 15 દિવસ બાદ એન્ટિબોડી રોગ સામે લડવા તૈયાર થઈ જાય છે. આમ છતાં જ્યાં સુધી કોરોના સમાજમાંથી નાબૂદ ન થાય ત્યાં સુધી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તો રાખવું જ જોઈએ.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.