તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટથી મુંબઈની ફ્લાઈટ તારીખ 23ને મંગળવારથી ફરી શરૂ કરવામાં આવી રહી છે. આજે સાંજે 4:40 કલાકે મુંબઈથી રાજકોટ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઈટ લેન્ડ થશે અને સાંજે 6:20 કલાકે ફરી મુંબઈ જવા ટેકઓફ થશે. એર ઇન્ડિયાની ફ્લાઈટ રાજકોટથી મુંબઈ ઓપરેટ કરવાનું ટાઈમટેબલ હાલ માત્ર 23થી 30 જૂન સુધીનું જ જાહેર કરાયું છે. રાજકોટ એર ઇન્ડિયાના ઇન્ચાર્જ સ્ટેશન મેનેજર હરિઓમ શર્માએ જણાવ્યું છે કે, એર ઇન્ડિયાની મંગળવારથી શરૂ થતી ફ્લાઈટનું બુકિંગ શરૂ જ છે.
અત્યાર સુધીમાં 40થી 50 યાત્રિકોનું બુકિંગ થઇ ગયું છે. એરક્રાફ્ટમાં 122 સીટની ક્ષમતા છે જેની સામે 104 સીટનું બુકિંગ કરી રહ્યા છીએ. જો યાત્રિકોનું બુકિંગ વધે તો એરલાઇન્સે એવી વ્યવસ્થા કરી છે કે ત્રણ સીટ પૈકી વચ્ચેની સીટના યાત્રિકોને પીપીઈ કિટ જેવું સૂટ પહેરાવાશે જેથી આજુબાજુના યાત્રિકો સુરક્ષિત રહી શકે. જો કે ઓછા યાત્રિકો હશે તો તમામને વિન્ડો સીટ પર જ બેસાડાશે.
એર ઇન્ડિયાની ફ્લાઈટ રાજકોટથી મુંબઈ મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ સપ્તાહમાં ત્રણ દિવસ ઉડાવાશે. જો કે હાલ માત્ર એક સપ્તાહનો જ કાર્યક્રમ નક્કી થયો હોવાથી એર ઇન્ડિયાની ફ્લાઈટ 23મીએ મંગળવારે, 25મીએ ગુરુવારે, 27મીએ શનિવારે અને 30મીએ મંગળવારે એમ ચાર જ દિવસ ઉડાવાશે. ત્યારબાદ આગળનો કાર્યક્રમ નક્કી કરાશે. બીજી બાજુ 1 જુલાઈથી સ્પાઈસ જેટ દ્વારા પણ રોજ બે ફ્લાઈટ ઉડાવવાનું જાહેર કર્યું છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.