• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Misleading Idea Of The Rural People Of Rajkot, 'Good Vaccines In The City, Different Types Of Vaccines In The Villages', Is Not Vaccinated.

મનોવિજ્ઞાન ભવનનું તારણ:રાજકોટની ગ્રામ્ય પ્રજાનો ભ્રામક વિચાર,'શહેરમાં સારી વેક્સિન આપે છે, ગામડામાં અલગ પ્રકારની વેક્સિન'

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિન અંગે અંધશ્રદ્ધા દૂર કરવા કલેકટરે ગામડામાં સૌ.યુનિ.ના મનૌવિજ્ઞાન ભવનની ટીમને ઉતારી
  • આજથી ગામડામાં જઈ સર્વે કરી વેક્સિન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરશે

રાજકોટ શહેરમાં પુરજોશથી વેક્સિનેશન ચાલી રહ્યું છે, પણ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો અંધશ્રદ્ધા અને ડરના કારણે રસીથી દૂર ભાગી રહ્યા છે. ત્યારે વેક્સિનેશન પ્રત્યે જાગૃતિ લાવવા માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની ટીમને ગામડામાં મોકલવામાં આવી છે. આજથી મનોવિજ્ઞાન ભવનની ટીમ ગામડામાં જઈ સર્વે કરી વેક્સિન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરશે. આ અંગે વાત કરતા સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણે જણાવ્યું હતું કે,ગામડાના લોકો એવું વિચારે છે કે શહેરમાં સારી વેક્સિન આપે છે, ગામડામાં અલગ પ્રકારની વેક્સિન અપાય છે. માટે લોકોના મનમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા પ્રયાસ કરી રહ્યા છીએ.

જનપ્રતિનિધિનાં ગામોની સ્થિતિ
આ અફવાઓ અને અંધશ્રદ્ધા દૂર કરવામાં તંત્ર દ્વારા પ્રયાસ તો શરુ થયા છે, પણ પ્રજાના પ્રતિનિધિઓ પણ આ કામ કરવા આગળ ન આવ્યા, જેમ કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું મૂળ ગામ જનડા છે, પણ તેઓ અમરાપુર ખાતેની સંસ્થામાં રહીને લોકોની સેવા કરે છે. આ અમરાપુરમાં 45 કરતાં વધુ લોકોના વેક્સિન માટે 786નો ટાર્ગેટ નક્કી કરાયો હતો, પણ પહેલો ડોઝ 139 અને બીજો ડોઝ માત્ર 38 લોકો લેવા આવ્યા અને 17 ટકા જેટલી જ કામગીરી થઈ ચૂકી છે. જ્યારે તેમના મૂળ ગામ જનડામાં પણ 40 ટકા જેટલું રસીકરણ થયું છે.

સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ
સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ

લોકો આ પ્રકારની અફવાઓ-ગેરમાન્યતાનો શિકાર

  • કોરોના જેવું કંઈ નથી.
  • રસી લીધા બાદ લોકો મરી જાય છે.
  • કોરોના શું બગાડી લેશે?
  • રસી લીધા બાદ કામ બગડી જાય છે.
  • અમે કંઈ ખોટું નથી કર્યું, તો રસી શું કામ લેવી?
  • કંઈ તકલીફ થઈ નથી, તો રસી શું કામ લેવી?
  • આ પ્રકારની અંધશ્રદ્ધા
  • ગામમાં કોરોના ન પ્રવેશે એ માટે શેરીઓમાં નાળિયેરંના તોરણ બાંધ્યાં.
  • માતાજી છે, એટલે કોરોના લોકોનું કંઈ નહીં બગાડે.
  • ભૂવાઓ કહે, માતાજીએ રસી મુકાવાની ના પાડી છે.
  • રોજા હોવાથી રસી ન લઈ શકાય.
  • ચોંકાવનારી હકીકત
  • મરી જઈશું એવી અફવા, 4 જિલ્લામાં અંધશ્રદ્ધાને કારણે ઓછું રસીકરણ
આજથી ગામડામાં જઈ સર્વે કરી વેક્સિન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરશે
આજથી ગામડામાં જઈ સર્વે કરી વેક્સિન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરશે

ઉપલેટાના ગાધા અને સંધી કલારિયા ગામમાં એકપણ વ્યક્તિએ રસી નથી લીધી
ઉપલેટા તાલુકાના ગાધા ગામના સરપંચે જણાવ્યું હતું કે 125ની વસતિ ધરાવતા ગામમાં મજૂર લોકો વાડીમાં રહે છે, જેથી શહેરી વિસ્તાર સાથે કોઈ સંપર્ક ન હોવાથી કોરોના સહેજ પણ ન થાય એવું કહીને ગામના લોકોએ રસી લેવાની ના પાડી હતી. સંધી કલારિયા ગામમાં 750ની વસતિમાં એકપણ વ્યક્તિએ રસી લીધી નથી.ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં કુલ 650 ગામ છે, એમાંથી 98 ગામમાં 20 ટકા કરતાં ઓછું રસીકરણ, જ્યારે 40 ગામમાં 10 ટકા કરતાં ઓછા લોકોએ રસી લીધી છે, જે સાબિત કરે છે કે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ જિલ્લામાં અંધશ્રદ્ધા અને અફવાઓ કેટલું ઘર કરી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...