તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના ભક્તિનગર સર્કલ નજીક ચાલુ કારે મોબાઇલ પર વાત કરતા ચાલકે બાળકને ઠોકરે ચડાવી નાસી ગયો હતો. અકસ્માતમાં ઘવાયેલા માસૂમ બાળકે ટૂંકી સારવારમાં દમ તોડ્યો છે. પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા કારચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અન્ય એક બનાવમાં સરધાર ગામે પ્રૌઢ ખેડૂતે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી છે.
ખોખડદળ નદીના પુલ પાસે આવેલી વેલનાથ સોસાયટીમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસે શાકભાજીની રેંકડી ઊભી રાખી વેપાર કરતા જગદીશભાઇ સુરેલા નામનો યુવાન તેની પત્ની અને દોઢ વર્ષના પુત્ર વંશ સાથે ભક્તિનગર સર્કલે શાકભાજીના થડે હતા. તે ધંધામાં વ્યસ્ત હતા જ્યારે દોઢ વર્ષનો પુત્ર વંશ રેંકડી નજીક રમતો હતો. તે સમયે કાર ડ્રાઇવ કરતાની સાથે મોબાઇલ પર વાત કરતા ચાલકે બેફિકરાઇથી કાર ચલાવી વંશને ઠોકરે ચડાવ્યો હતો. બાળકને ઠોકરે ચડાવ્યા બાદ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. પુત્ર વંશ કારની ઠોકરે ચડ્યાની ખબર પડતા જગદીશભાઇ અને તેની પત્ની દોડી ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા પુત્ર વંશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં વંશે ટૂંકી સારવારમાં દમ તોડ્યો હતો. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસમથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે નાસી ગયેલા કારચાલક સામે ગુનો નોંધી તેને પકડવા દોડધામ શરૂ કરી છે.
જ્યારે અન્ય એક આપઘાતનો બનાવ નોંધાયો છે. તાલુકાના સરધાર ગામે રહેતા અને ખેતીકામ કરતા જગદીશભાઇ ગોરધનભાઇ બુડાસણા નામના પ્રૌઢે તેમના ઘરે અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ત્રણ સંતાનના પિતા જગદીશભાઇના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.