સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએડીની એન્ટ્રસ એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓએ મોડી રાત સુધી ધરણાં યથાવત્ રાખ્યાં છે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના સત્તાધીશોને પરીક્ષા ફરીથી લેવાની માગ સાથે આંદોલન શરૂ કર્યું છે. તેમનો આક્ષેપ છે કે પહેલા લેવાયેલી પરીક્ષામાં છબરડા થયા હતા. તેથી ફરીથી પરીક્ષા લેવામાં આવે. તેઓ વધુમાં જણાવે છે કે, આ મામલે તેમણે યુનિવર્સિટીના સત્તાધીશોને બેથી ત્રણ વખત રજૂઆત કરી હતી. તે છતાં કોઈ ઉકેલ આવ્યો નહોતો. આ ઉપરાંત સત્તાધીશો ગોળ ગોળ જવાબ આપતા હતા તેથી તેમણે આંદોલન શરૂ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.