• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Student Will Be Taught Offline online Only, The School Which Has More Teachers Will Be Given Education In Two Shifts: Ban On Prayers, Recess And Sports

કોરોના ગાઈડલાઈનનું પાલન ફરજિયાત:વિદ્યાર્થીને ઓફલાઈન-ઓનલાઈન સાથે જ ભણાવાશે, જે શાળામાં વધુ શિક્ષકો છે ત્યાં બે પાળીમાં અપાશે શિક્ષણ : પ્રાર્થના, રીસેસ અને રમતગમત પર પ્રતિબંધ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્કૂલ શરૂ થયા પૂર્વે કલાસરૂમને સેનિટાઈઝ કરાયા. - Divya Bhaskar
સ્કૂલ શરૂ થયા પૂર્વે કલાસરૂમને સેનિટાઈઝ કરાયા.
  • વિદ્યાર્થી સ્કૂલમાં આવે અને છૂટે ત્યાં સુધીમાં આટલી પ્રક્રિયા થશે
  • ધો.12 અને કોલેજમાં આજથી વિદ્યાર્થીઓ ક્લાસમાં બેસીને ભણશે
  • એક ક્લાસમાં 50% વિદ્યાર્થીઓ જ બેસાડાશે
  • શાળાઓ દરરોજ સેનિટાઈઝ કરાશે, વિદ્યાર્થીઓનું પણ થર્મલ સ્ક્રીનિંગ કરાશે

દોઢ વર્ષ બાદ આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ થઇ રહ્યું છે. ધો.12 અને કોલેજના વર્ગો શરૂ કરવા સરકારે મંજૂરી આપી છે. હવે કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી રાજ્ય સરકારે ધોરણ 12ની સ્કૂલ, કોલેજ અને ટેક્નિકલ સંસ્થાઓને વર્ગખંડમાં 50% ક્ષમતા સાથે શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટની 400થી વધુ શાળાઓમાં આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. સંચાલકોએ કહ્યું કે, હાલ ઓફલાઈન શિક્ષણ મરજિયાત હોવાથી ધો.12 અને કોલેજના તમામ વિદ્યાર્થીઓને ઓફલાઈન અને ઓનલાઈન સાથે જ ભણાવાશે.

ઓફલાઈન ક્લાસની સાથે બાળક ઘેરબેઠા પણ ઓનલાઈન ભણી શકશે. જે સ્કૂલમાં શિક્ષકો વધુ છે તેઓ બે પાળીમાં અભ્યાસ કરાવશે જ્યાં શિક્ષકો માર્યાદિત છે તેઓ 50 ટકાની મર્યાદામાં વિદ્યાર્થીઓને એકાંતરા બોલાવશે. સ્કૂલમાં સમૂહ પ્રાર્થના, રીસેસ અને રમતગમતની પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મુકાયો છે. શાળાઓમાં દરરોજ સેનિટાઈઝ કરાશે. રાજકોટ જિલ્લામાં તમામ પ્રવાહના ધો.12માં 40 હજાર વિદ્યાર્થીઓ છે. સ્કૂલમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તે અંગે સમયાંતરે ચેકિંગ કરવામાં આવશે તેમ ડીઈઓ બી.એસ. કૈલાએ જણાવ્યું હતું.

  • સ્કૂલમાં પ્રવેશ સમયે વિદ્યાર્થીનું થર્મલ સ્ક્રીનિંગ, સેનિટાઈઝ કરાશે.
  • વિદ્યાર્થીએ માસ્ક પહેરેવું ફરજિયાત છે, નહીં હોય તો સ્કૂલ આપશે.
  • સ્કૂલમાં પ્રવેશ પણ એકસાથે નહીં અપાય, તબક્કાવાર અપાશે.
  • વિદ્યાર્થી પ્રવેશ સાથે સીધા ક્લાસરૂમમાં જ જશે.
  • ક્લાસની કેપેસિટી કરતા 50 ટકા વિદ્યાર્થીઓ જ બેસાડવામાં આવશે.
  • ક્લાસમાં વિદ્યાર્થી ઓફલાઈન, ઘેર બેઠેલો વિદ્યાર્થી ઓનલાઈન ભણી શકશે.
  • વિદ્યાર્થીએ પાણીની બોટલ પણ ઘેરથી લઇ આવવાની રહેશે.
  • દરરોજ 4 કલાક ભણાવાશે, વચ્ચે અડધો કલાકનો બ્રેક અપાશે.
  • સ્કૂલ પૂરી થયા બાદ એક પછી એક વર્ગ છોડાશે.

કોલેજોમાં વિદ્યાર્થીઓને એકાંતરા બોલાવાશે
સ્કૂલમાં બાકીના વર્ગો ખાલી હોવાથી ધો.12ના તમામ વિદ્યાર્થીઓને 50 ટકાની મર્યાદામાં જુદા જુદા ક્લાસમાં સમાવી શકાય, પરંતુ કોલેજમાં તમામ કોર્સના અને સેમેસ્ટરના વિદ્યાર્થીના વર્ગ આજથી શરૂ થતા હોય પરંતુ વર્ગખંડની સંખ્યા માર્યાદિત હોવાથી 50 ટકાની મર્યાદામાં વિદ્યાર્થીઓને એકાંતરા બોલાવાશે.

અન્ય સમાચારો પણ છે...