તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ જેલમાં સ્ટોન કિલરે આતંક મચાવ્યો હતો. સ્ટોન કિલર હિતેશ રામાવતે જલમાં બંધ ભુજના સાથી કેદીને હેરાન પરેશાન કરતો હતો. ત્યારે ફરિયાદ કરશે તેવા ડરથી એક કરતા વધુ દવા પીને આત્મહત્યા કરવાનું નાટક રચ્યું હતું. જેથી તંત્ર દ્વારા સ્ટોન કિલર હિતેશ રામાવત અને તેના સાથી કેદીને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સ્ટોન કિલરે એક કરતા વધુ દવા પીને આત્મહત્યાનુ નાટક કર્યું
સ્ટોન કિલર જેલમાં બંધ ભુજના સાથી કેદીને વારંવાર હેરાન કરતો હતો. જેથી સાથી કેદી માથા પછાડી ઈજા પહોંચાડી હતી. જે બાદ ભુજનો કેદી પોલીસ ફરિયાદ કરશે તેવા ડરથી પોતે પણ એક કરતાં વધુ દવા પી લીધી હતી અને આત્મહત્યાનું નાટક કર્યું હતું. હાલ તો સ્ટોન કિલર હિતેશ રામાવત અને ભુજના સાથી કેદીને સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.
સ્ટોન કિલરે પથ્થર મારી 3 લોકોની હત્યા કરી હતી
રાજકોટમાં 3-3 હત્યાને અંજામ આપનાર સ્ટોન કિલરને જામનગનાર બેડેશ્વર વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો હતો. જે બાદ હત્યાના ગુનામાં આરોપીને જેલમાં ધકેલવામાં આવ્યો હતો. મહત્વનું છે કે વર્ષ 2001માં તેનાં મોટાભાઈ જયેશનાં લગ્ન થયા હતા. ત્યારે તેનાં વર્તન વ્યવહાર સારા ન હોવાથી તેને ઘરમાંથી કાઢી મુક્યો હતો. તે પછી તે રખડતું જીવન ગુજારતો હતો. બાળપણમાં જ અત્યાચારનો શિકાર બન્યો હોવાથી રખડુ જીવન ગુજારતો હિતેશ ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાયો અને સ્ટોન કિલર સુધી પહોંચી ગયો. હિતેશે 3-3 હત્યા કર્યા બાદ પૈસાની લૂંટ ચલાવતો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.