તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ તાલુકામાં 1 મહિનાથી 3 સાવજોએ મુકામ કર્યો છે તેથી આ વાતાવરણ સિંહને માફક આવી ગયું હોવાનું વનવિભાગે તારણ કાઢ્યું છે. રાજકોટ તાલુકો અને કોટડાસાંગાણી તાલુકાની વચ્ચે ભાયાસર, લોઠડા, નારણકા અને પડવલા સહિતની વિશાળ વીડી વિસ્તારોમાં સિહ ફરી રહ્યા છે. પાંચ દિવસ પહેલા ભાયાસર નજીક ચાર મારણ કર્યા બાદ હવે કોટડાસાંગાણીના રાજપરામાં મારણ કર્યું છે.
વનવિભાગના સૂત્રો જણાવે છે કે, આ વિસ્તાર સાવજોને માફક આવી રહ્યો છે. નીલગાય, ભૂંડ તેમજ રેવન્યૂ વિસ્તારમાં ઢોર સહિતના સરળ મારણ ઉપલબ્ધ છે તેમજ પાણીની પણ વ્યવસ્થા છે. આ દરમિયાન સિંહ અલગ અલગ જગ્યાએ દેખા દીધી હોવાના સતત મેસેજ મળ્યા કરે છે તેથી વનવિભાગ દોડતું રહે છે. આવું જ એક મારણ લોધિકાની સીમમાં હોવાનું જાણવા મળ્યું છે. નીલગાયનો મૃતદેહ જોતા સિંહ ત્યાં આવી ચડ્યાની ચર્ચાએ જોર પકડ્યું હતું પણ ફૂટ પ્રિન્ટ જોતા ઝરખ હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. જોકે વનવિભાગ કોઇ કસર બાકી ન રાખવા માગતું હોઈ ત્યાં પેટ્રોલિંગ અને તપાસ ચાલુ કરી દીધી છે.
રાજપરાની સીમમાં મુકેશભાઈ ઝાપડા નામના માલધારીની ગાયનું મારણ કરાયું છે આ વિસ્તારમાં આ બીજી વખત મારણ થયું હોવાથી વનવિભાગે લોકોને રાત્રીના સમયે ઘરમાં જ રહેવા તેમજ ઢોર માટે વ્યવસ્થા કરવા અને સિંહ દેખાય તો કેવી રીતે અનુસરવું તેનું માર્ગદર્શન આપ્યું છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.