કોરોના કાળમાં લાંબા સમય સુધી બાળકો સ્કૂલે ન ગયા અને ભયભીત રહ્યા જેને કારણે પ્રત્યાયન વિકૃતિઓ વધી હતી. આ પ્રકારની વિકૃતિઓનો સબંધ બાળકો દ્વારા બોલાતી ભાષા અને તેમાં ઉદભવતા દોષના કારણે થાય છે. કોરોનાકાળમાં બાળકો સ્કૂલે ન ગયા અને વાતચીત તેમજ કોમ્યુનિકેશન ઘટ્યું હોવાથી તેની સીધી અસર તેમના પર થઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડો. ધારા દોશી, મોર ભારતી, હર્ષા ગોંડલિયા અને જાદવ તૌફીક દ્વારા 1710 વાલીઓ અને 180 શિક્ષકો પર સરવે કરવામાં આવ્યો છે. જેમાં 13 ટકા બાળકોને ખચકાવાની તકલીફ અને 48 ટકા બાળકોને ભાષા ગ્રહણ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
વાલીઓ બાળકોની કોમ્યુનિકેશન શૈલીથી નારાજ
બાળકની તુલનામાં બાળકીઓનું પ્રત્યાયન સારું છે. એટલે કે બાળકીઓ બાળકોની તુલનામાં સારું કોમ્યુનિકેશન કરી શકે છે. છતાં કોરોનાકાળ પછી 42.30% વાલીઓ પોતાના બાળકોની કોમ્યુનિકેશન શૈલીથી નારાજ છે જ્યારે 36.90% શિક્ષકો બાળકોની કોમ્યુનિકેશન શૈલીથી સંતોષ અનુભવતા નથી. ઘણા શિક્ષકોએ કહ્યું કે 50%થી વધુ બાળકોમાં વાતચીત કરવાની ઢબ કોરોના પછી બગડી છે.
સરવેમાં બાળકોમાં આ તકલીફો બહાર આવી
ગ્રહણશીલ અભિવ્યક્તિ ભાષા વિકૃતિ
આ ડિસઓર્ડરમાં બાળકને ભાષા ગ્રહણ કરવામાં મુશ્કેલી પડે છે. તે જટિલ શબ્દો અને વિધાનોને વ્યક્ત કરવામાં અને સમજવામાં અસમર્થ રહે છે. જે તેની શૈક્ષણિક સિદ્ધિઓને અસર કરે છે. આમાં, કેટલીકવાર સરળ વાક્યો સમજવામાં પણ આ વિકૃતિ વધુ ગંભીર બની જતી હોય છે. આવા બાળકો વિવિધ અવાજો વચ્ચેનો તફાવત અને સંકેતો સંબંધિત અવાજોને યાદ કરવામાં મુશ્કેલી અનુભવે છે. આ વિકૃતિ 3 ટકા શાળાના બાળકોમાં જોવા મળે છે. મોટેભાગે, આ વિકૃતિ ઉંમર વધતાની સાથે સાથે ઓછી અથવા તો સમાપ્ત થઇ જતી હોય છે.
અભિવ્યક્તિ ભાષા વિકૃતિ
આ વિકૃતિમાં, બાળકોને તેમના વિચારો યોગ્ય રીતે વ્યક્ત કરવામાં મુશ્કેલી અથવા અસમર્થતા અનુભવે છે. આવા બાળકોનું શબ્દભંડોળ ખૂબ જ મર્યાદિત તેમજ અચોક્કસ હોય છે. તેમને નવા શબ્દો શીખવામાં મુશ્કેલી પડે છે. એટલા માટે તેઓ ખૂબ જ ટૂંકા અને અધૂરા વાક્યો બોલે છે. જેમાં કેટલીકવાર મહત્વપૂર્ણ ભાગો દે છે. કેટલીકવાર શબ્દો બોલવામાં શબ્દોનો ક્રમ યોગ્ય નથી હોતો. આ વિકૃતિ 5 ટકા બાળકોમાં જોવા મળે છે. આ વિકૃતિ વાણી ઉપચાર અને અન્ય શૈક્ષણિક પદ્ધતિઓ દ્વારા સુધારી શકાય છે. પ્રેક્ટિસ અને સારવારથી, ધીમે ધીમે બાળકોમાં સંપૂર્ણ ભાષા ક્ષમતા વિકસિત થાય છે અને કિશોરાવસ્થાના સમય સુધીમાં, બાળકો સંપૂર્ણ ક્ષમતા વિકસાવે છે.
ઉચ્ચારણ વિકૃતિ
નામ સૂચવે છે તેમ, આ વિકૃતિમાં, બાળકો અસ્પષ્ટ ભાષા ઉચ્ચારણ કરે છે. શબ્દો બરાબર બોલી નથી શકતા. બોલતી વખતે કેટલાક શબ્દો પણ છોડી દે છે. આથી તેમને ઉચ્ચારણ વિકૃતિના દર્દીઓ માનવામાં આવે છે. તેમની વાતચીત કરવાની રીત નાના બાળકની જેમ જ અપરિપક્વ હોય છે. આ વિકૃતિનો દર 17 વર્ષની ઉંમર સુધીમાં ઘટીને 0.5 ટકા થઈ જાય છે. 2થી 3 ટકા બાળકો આ વિકૃતિથી પીડાય છે.
ખચકાવું
ખચકાવું એ એક પ્રકારની વાણીની ખામી છે. ખચકાવવાની સ્થિતિમાં બાળક થોડાક શબ્દો બોલીને થોડીવાર માટે અટકી જાય છે. જોકે તેની જીભ અને હોઠ હલતા રહે છે પણ મોઢામાંથી અવાજ નીકળતો નથી. ખચકાવુંએ તોતડાપણા કરતાં સંપૂર્ણપણે અલગ છે. તોતડાપણામાં અવાજ વારંવાર પુનરાવર્તિત થાય છે, પરંતુ હકલાવામાં અવાજ પોતે જ અવરોધિત થાય છે. શબ્દ ઉચ્ચારણમાં અવરોધ એ ખચકાવાનું મુખ્ય લક્ષણ માનવામાં આવે છે. જે વ્યક્તિ હકલાય છે તેણે જો એમ બોલવું છે કે ‘અમે ત્યાં ગયા’ , તો તે ‘અમે’ કહેવાનો પ્રયત્ન કરશે અને આગળ શબ્દો બોલવાની કોશિશ કરશે, પણ ઝડપથી બોલી શકશે નહીં. થોડા સમય પછી, જ્યારે તેના સ્નાયુઓમાં તણાવ ઓછો થાય છે, ત્યારે તે ઝડપથી બાકીના શબ્દો બોલી દે છે. કેટલીકવાર તોતડાવું અને ખચકાવું એક સાથે હોય છે.
બાળકોમાં ખચકાવાનાં ઘણા શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક કારણો
ખચકાવાની અસરો
બાળક પર ખચકાવાની ખૂબ જ ખરાબ અસર પડે છે. આનાથી તેના સામાન્ય વિકાસમાં અવરોધ આવે છે અને તે લઘુતાગ્રંથિથી પીડાય છે. ઘણીવાર આવા બાળકોની સમાજમાં મજાક ઉડાવવામાં આવે છે, જેના કારણે તેમનામાં એકલતાની લાગણી જન્મે છે. એવો અંદાજ છે કે ખચકાતી વ્યક્તિઓની સંખ્યા અમેરિકામાં અંદાજે 10 લાખ અને ભારતમાં 2.5 મિલિયન છે.
વાણી સુધારણાના સૂચનો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.